Union Budget 2025: વાંચો બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ મુર્મુના અભિભાષણના મુખ્ય મુદ્દા
Union Budget 2025: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરી, 2025 ના રોજ શરૂ થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સત્રની શરૂઆત ચિહ્નિત કરીને બંને ગૃહોને સંબોધિત કર્યા હતા.
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે પછીથી 2024-25 માટે આર્થિક સર્વે રજૂ કરશે. તેમના દ્વારા સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા લોકસભા અને રાજ્યસભા બંનેમાં 3 ફેબ્રુઆરીના રોજ થવાની છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ બંધારણના નિર્માતાઓને શ્રદ્ધાંજલિ આપીને અને મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન થયેલા અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કરીને તેમના સંબોધનની શરૂઆત કરી હતી.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ભારતની ઝડપી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો અને જણાવ્યું હતું કે, તે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. ખેડૂતોને લાભ આપતા અનેક નિર્ણયો સાથે સરકારનું ફોકસ મહિલાઓ, યુવાનો અને ગરીબો પર છે.
સરકારની પહેલ અને સિદ્ધિઓ - રાષ્ટ્રપતિએ સરકારી યોજનાઓની પ્રશંસા કરી જેણે મહિલાઓ અને અન્ય સામાજિક વર્ગો માટે સન્માન વધાર્યું છે. તેણીએ નારી શક્તિને મજબૂત કરવાના પ્રયાસો અને એક રાષ્ટ્ર એક ચૂંટણી જેવી પહેલોનો ઉલ્લેખ કર્યો હતો.
70 વર્ષથી વધુ ઉંમરના છ કરોડ નાગરિકોને આરોગ્ય વીમો આપવા માટે આયુષ્માન યોજનાની પ્રશંસા કરવામાં આવી હતી. વધુમાં, તેમણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાભ આપવા માટે 8મા પગાર પંચની રચના કરવાની જાહેરાત કરી હતી.

શિક્ષણ પર ભાર મૂકતા, રાષ્ટ્રપતિ મુર્મુએ નોંધ્યું હતું કે, માતૃભાષાને પ્રોત્સાહન આપવું એ પ્રાથમિકતા છે. સ્ટાર્ટઅપ્સ, સ્પોર્ટ્સ અને સ્પેસ એક્સપ્લોરેશન સહિત વિવિધ ક્ષેત્રોમાં યુવા ઉત્કૃષ્ટ દેખાવ કરતાં શિક્ષણમાં તકોનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.
ભારતના બેંકિંગ સેક્ટર અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ્સ રિમોટ વિસ્તારોને નાણાકીય રીતે જોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ગ્રામીણ સમુદાયોનું સશક્તિકરણ - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની પ્રશંસા કરતા, રાષ્ટ્રપતિ મુર્મુએ 91 લાખથી વધુ સ્વ-સહાય જૂથોને સશક્તિકરણ દ્વારા તેની અસરને પ્રકાશિત કરી હતી.
તેમણે સામાન્ય લોકો માટે હવાઈ મુસાફરી સુલભ બનાવવા માટે ઉદાન યોજનાની પણ પ્રશંસા કરી છે. આ પહેલો ગ્રામીણ સમુદાયોના ઉત્થાન અને તેમની આજીવિકા વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
રાષ્ટ્રપતિએ તમામ ક્ષેત્રોમાં ભારતની સિદ્ધિઓને સ્વીકારીને સમાપન કર્યું હતું. તેણીએ પુનરોચ્ચાર કર્યો કે, ભારત ટૂંક સમયમાં એક મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના સંબોધનમાં તમામ નાગરિકો માટે સર્વસમાવેશક વૃદ્ધિ અને વિકાસ માટે સરકારના સમર્પણ પર ભાર મૂક્યો હતો.
President Murmu says, "To ensure health services to all citizens, 1.75 lakh 'Arogyoa Mandir have been established in the country. Looking at the rising number of cancer patients, custom duty on many cancer medicines has been waived off." pic.twitter.com/vvPtBZ5bJu
— ANI (@ANI) January 31, 2025












Click it and Unblock the Notifications
