તેલંગાણા: કેટલાક શરારતી તત્વોએ હનુમાનજીની મૂર્તિ તોડી
તેલંગાણામાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના તેલંગાણાના ભદ્રાદારી કોથાગુડમની છે જ્યાં કેટલાક અજ્ઞાત લોકોએ ભગવાન હનુમાનની મૂર્તિ તોડી નાખી છે.
તેલંગાણામાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના તેલંગાણાના ભદ્રાદારી કોથાગુડમની છે જ્યાં કેટલાક અજ્ઞાત લોકોએ ભગવાન હનુમાનની મૂર્તિ તોડી નાખી છે. આ મામલે પોલીસે જણાવ્યું છે કે તેમને હજુ સુધી આ મામલે કોઈ પણ જાણકારી નથી મળી કે આખરે કોણે આ મૂર્તિ તોડી છે. પોલીસે કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે અને ખુબ જ જલ્દી તેઓ આ શરારતી તત્વોને પકડી પાડશે.
આપણે જણાવી દઈએ કે ગામના હનુમાનજીની મૂર્તિ છે. આ મૂર્તિના હાથ અને શરીરના તમામ અંગો શરારતી તત્વો ઘ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આ ઘટના સામે આવ્યા પછી ગ્રામીણો ઘ્વારા તેની જાણકારી પોલીસને આપવામાં આવી ત્યારપછી આ મામલે કેસ નોંધીને પોલીસ તેની જાંચ કરી રહી છે. હજુ સુધી આ મામલે જાણકારી નથી મળી શકે કે આખરે આ ઘટના પાછળ કોણ છે. આ ઘટના સોમવારની જણાવવામાં આવી રહી છે.
#Telangana: Police says, "Unknown miscreants vandalised the statue of Lord Hanuman at a village in Bhadradri Kothagudem, yesterday. Investigation is underway." pic.twitter.com/aitmUN6pGY
— ANI (@ANI) July 31, 2018