અનલૉક 5: કેન્દ્રએ ઔદ્યોગિક શ્રમિકો માટે કાર્યસ્થળ સંબંધિત દિશાનિર્દેશ જારી કર્યા
આરોગ્ય મંત્રી હર્ષવર્ધને બુધવારે ઐદ્યોગિક શ્રમિકો માટે કોવિડ 19 વચ્ચે એક સુરક્ષિત કાર્ય વાતાવરણ માટે ઉદ્યોગો માટે એક દિશાનિર્દેશ સાથે સંબંધિત એક બુકલેટ જારી કરી છે.
નવી દિલ્લીઃ કોરોના સંકટ વચ્ચે દેશમાં અનલૉક 5માં શરૂ થઈ ગયુ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલૉક 5 માટે ગાઈડલાઈન્સ જારી કરી દીધી છે. ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ અનલૉક-માં સિનેમાઘર અને મલ્ટીપ્લેક્સ 50 ટકા સીટો સાથે ખોલવામાં આવશે. વળી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને બુધવારે ઐદ્યોગિક શ્રમિકો માટે કોવિડ 19 વચ્ચે એક સુરક્ષિત કાર્ય વાતાવરણ માટે ઉદ્યોગો માટે એક દિશાનિર્દેશ સાથે સંબંધિત એક બુકલેટ જારી કરી છે. કેન્દ્રએ કહ્યુ કે આ ગાઈડલાઈન મહામારી વચ્ચે યોગ્ય નિયંત્રણ ઉપાયોને નિર્ધારિત કરવા માટે કાર્યસ્થળો પર સંભવિત જોખમ કારકોની ઓળખ કરવા માટે આ બુકલેટને ડિઝાઈન કરવામાં આવી છે. વર્ચ્યુઅલ રીતે જારી કરાયેય દિશાનિર્દેશો સાથે સંબંધિત બુકલેટના ઉદ્ઘાટન દરમિયાન શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવાર અને નીતિ પંચના સભ્ય વીકે પૉલ પણ હાજર હતા.

માર્ગદર્શક તરીકે કાર્ય કરશે
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યુ કે માલિક અને શ્રમિકો માટે તેમના પરિસરમાં કોરોનાથી બચવા માટે માર્ગદર્શક તરીકે કાર્ય કરશે. શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવારે કહ્યુ કે દિશાનિર્દેશોને લાગુ કરવાથી માત્ર જાગૃતિ ફેલાશે એટલુ જ નહિ પરંતુ ઔદ્યોગિક શ્રમિકોને કામ ફરીથી શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાશે. વર્તમાન સ્થિતિ માટે ખુદને માનસિક રીતે તૈયાર કરવા અને સીઓવીઆઈડી ઉપયુક્ત વ્યવહાર વિશે જાગૃતિ ફેલાવવી મહત્વપૂર્ણ છે.

આપણી જવાબદારી છે કે આપણે કોવિડ-19થી શ્રમિકોને બચાવીએ
ડૉ. હર્ષવર્ધને કહ્યુ કે ટ્વિટર પર કહ્યુ કે એ આપણી જવાબદારી છે કે આપણે કોવિડ-19થી શ્રમિકોને બચાવીએ. તે માત્ર તેમની આજીવિકા માટે જ કામ નથી કરતા પરંતુ તે ભારતના નિર્માણ માટે પણ કામ કરે છે. મારુ માનવુ છે કે કોવિડ-19થી સુરક્ષા કોઈ રૉકેટ સાયન્સ નથી બસ આપણે એક થવાની જરૂર છે. થોડા સાવધાન. જે સવારથી સાંજ સુધી બૂમો પાડી પાડીને સાવચેતીઓ જણાવવામાં આવે છે તે ઈન્ડસ્ટ્રી માટે પૂરતી નથી. તેમના માટે વધુ નિયમોનુ કડકાઈથી પાલન કરાવવુ પડશે.

જારી કરાયા દિશાનિર્દેશ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યુ કે આ દિશાનિર્દેશ કાર્યસ્થળ માટે તૈયાર કરાયેલ reckonerમાં બધા મહત્વપૂર્ણ ઉપાયોનો સમાવેશ કરે છે જે કાર્યસ્થળ પર શ્વસન નિયંત્રણ સંબંધી સાવચેતી, કર્મચારીઓના વારંવાર હાથ ધોવા, કાર્યસ્થળને વારંવાર સેનિટાઈઝ કરવા અને સ્વચ્છતાનુ વિશેષ ધ્યાન આપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આવનારા દિવસોમાં એક પછી એક તહેવાર આવવાના છે માટે આશા રાખવામાં આવી રહી છે કે બજારમાં ડિમાન્ડ વધશે માટે પહેલેથી જ ઉદ્યોગોએ આના માટે તૈયારી રાખવી પડશે. વેપારથી વેપાર પ્રદર્શનકારીઓને 15 ઓક્ટોબરથી ખોલવાની મંજૂરી હશે જેના માટે વાણિજ્ય વિભાગ દ્વારા એસઓપી જારી કરવામાં આવશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
