ઉન્નાવ રેપ કેસ: યુપીની બહાર કેસ ટ્રાન્સફર થઇ શકે છે, રિપોર્ટ માંગી
આજે સુપ્રીમ કોર્ટમાં ઉન્નાવ રેપ કેસ અંગે સુનાવણી હાથ ધરી છે, આ મામલા સાથે જોડાયેલા તમામ કેસો ઉત્તરપ્રદેશની બહાર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
આજે સુપ્રીમ કોર્ટમાં ઉન્નાવ રેપ કેસ અંગે સુનાવણી હાથ ધરી છે, આ મામલા સાથે જોડાયેલા તમામ કેસો ઉત્તરપ્રદેશની બહાર ટ્રાન્સફર કરવામાં આવી શકે છે, આ કેસમાં ફરીથી ગુરુવારે કોર્ટમાં જ આ કેસની સુનાવણી થવાની છે. આ વિશે વાત કરતાં સોલિસિટર જનરલે કોર્ટને માહિતી આપી હતી કે આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીઓ લખનૌમાં છે, તેથી કોર્ટમાં હાજર થવું મુશ્કેલ છે, આવી સ્થિતિમાં સીજેઆઇએ કહ્યું કે સીબીઆઈ અમને ફોન પર આ માહિતી આપી શકે છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, એવું નક્કી કરવામાં આવ્યું છે કે ઉન્નાવ રેપ કેસ, અકસ્માતનો કેસ હવે ઉત્તર પ્રદેશની બહાર ટ્રાન્સફર કરવામાં આવશે, એવું માનવામાં આવે છે કે હવે આ કેસોની સુનાવણી દિલ્હીમાં થશે.
પીડિતાના માતાની ચિઠ્ઠી પર પણ સુનાવણી
આપને જણાવી દઈએ કે ઉન્નાવ રેપ પીડિતાના કાર અકસ્માતમાં તેઓ ખરાબ રીતે ઘાયલ થયા તે પહેલાં તેમના પરિવારોએ સુપ્રીમ કોર્ટના સીજેઆઈ રંજન ગોગોઈને એક પત્ર લખ્યો હતો અને આ કેસમાં આરોપીઓ ઘ્વારા તેમના જીવને જોખમ અંગે પણ જણાવવામાં આવ્યું હતું, ત્યારબાદ મીડિયા ઘ્વારા સીજેઆઈ રંજન ગોગોઇ પૂછવામાં આવ્યું છે કે ઉન્નાવ બળાત્કાર પીડિતાના પરિવારજનો દ્વારા લખાયેલ પત્ર તેમની સામે રજુ કરવામાં કેમ મોડું થઇ રહ્યું છે, આ પત્ર પીડિતાની માતા, બહેન અને કાકી ઘ્વારા લખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ઉન્નાવ કેસ: સીબીઆઈએ કુલદીપ સિંહ સેંગર સહીત 10 લોકો પર કેસ નોંધ્યો
પીડિતાની હાલત ખુબ જ ગંભીર છે
આપને જણાવી દઈએ કે રોડ દુર્ઘટનામાં પીડિતાની કાકીની મૌત થઇ ચુકી છે, જ્યારે પીડિતા જીવન અને મૃત્યુની લડાઈ લડી રહી છે. પીડિતાની માતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સુનાવણી દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. ઉત્તર પ્રદેશ પોલીસે જેલમાં બંધ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને 29 અન્ય લોકો સામે ઉન્નાવ બળાત્કાર પીડિતાની હત્યાનું કાવતરું રચવાના આરોપમાં એફઆઈઆર નોંધી છે.
આ પણ વાંચો: Unnao Rape Case ઓવૈસીનો ભાજપને સવાલ- હવે ક્યાં ગઈ મુસ્લિમ મહિલાઓની મહોબ્બત












Click it and Unblock the Notifications
