ઉન્નાવ કેસ: સીબીઆઈએ કુલદીપ સિંહ સેંગર સહીત 10 લોકો પર કેસ નોંધ્યો
ઉન્નાવ રેપ પીડિતાના એક્સીડંટ મામલે સીબીઆઈ ઘ્વારા ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર સહીત 10 લોકો પર કેસ નોંધ્યો છે.
ઉન્નાવ રેપ પીડિતાના એક્સીડંટ મામલે સીબીઆઈ ઘ્વારા ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર સહીત 10 લોકો પર કેસ નોંધ્યો છે. સીબીઆઈ ઘ્વારા બીજા 20 અજ્ઞાત લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ હત્યા, હત્યાની કોશિશ જેવા કારણોસર નોંધવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે રવિવારે રાયબરેલીમાં થયેલા રોડ એક્સિડન્ટમાં રેપ પીડિતા અને તેના વકીલ ગંભીર રૂપે ઘાયલ થયા હતા અને પીડિતાના કાકી અને માસીની મૌત થઇ હતી.

આરોપી વિધાયક કુલદીપ સિંહ સેંગરને ભાજપાએ કાઢી મુક્યો
ઉન્નાવ રેપ કેસમાં આરોપી વિધાયક કુલદીપ સિંહ સેંગરને ભાજપાએ પાર્ટીની બહારનો રસ્તો બતાવી દીધો છે. કુલદીપ સિંહ સેંગર અંગે સતત થઇ રહેલા વિરોધને અંતે પાર્ટીએ આ નિર્ણય લીધો છે. આપને જણાવી દઈએ કે કુલદીપ સિંહ સેંગર ઉન્નાવના બંગારમાઉં થી ભાજપા વિધાયક છે તેઓ હાલમાં જેલમાં છે.

ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો
ઓવૈસીએ ભાજપ પર તીખો હુમલો બોલતા કહ્યું કે જેવી રીતે ગેંગરેપ થયા બાદ પણ સેંગર ભાજપમાં બન્યા રહ્યા, આ શર્મનાક છે. તેમણે કહ્યું કે તેઓ એક્સિડેન્ટથી આશ્ચર્યચકિત નથી કેમ કે છોકરીએ પહેલા કહ્યું હતું કે તેનો જીવ ખતરામાં છે. આ કારણ જ છે કે છોકરીને પોલીસ પર ભરોસો નથી અને તેણે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. ઓવૈસીએ કહ્યું કે રવિવારે થયેલ અકસ્માતને ગંભીરતાથી લેવાની જરૂરત છે, ભાજપે આ અકસ્માતને ગંભીરતાથી લેવો જોઈએ.

નિવેદન બદલા દબાણ નાખ્યું
પીડિતાના ચાચાએ આગળ જણાવ્યું કે બાદમાં કુલદીપ સિંહ સેંગરે તે લોકોને જેલથી ફોન કર્યો. તેણે ફોન કરી કહ્યું કે જો જીવવા માંગતા હોય તો નિવેદન બદલી દો. તે રાયબરેલીની જેલમાં એક અન્ય કેસમાં બંધ છે અને આજીવન કારાવાસની સજા કાપી રહ્યા છે, તેને જ મળવા માટે પરિજનો જ્યારે જેલ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. પરિજનોનો આરોપ છે કે આ લોકો પર સતત કેસ પાછો લેવા માટે દબાણ બનાવવામાં આવી રહ્યું હતું. વારંવાર ફરિયાદ કરવા પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. આખરે પોલીસ દ્વારા નોંધાયેલ એફઆઈઆરમાં દાવો કરવામાં આાવ્યો કે પીડિતાને ગામમાં તહેનાત પોલીસકર્મી સામે જ ભાજપી ધારાસભ્યનો ફોન આવ્યો અને કહ્યું હતું કે મામલો ન ઉકેલ્યો તો તેમને મારી નાખશે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
