Unnao Rape Case: કુલદીપ સેંગરના 17 ઠેકાણે સીબીઆઈના દરોડા
ઉન્નાવ રેપ કેસમાં મુખ્ય આરોપી કુલદીપ સિંહ સેંગર સહીત અન્ય આરોપીઓના ઠેકાણે રવિવારે સીબીઆઈ છાપામારી કરી રહી છે.
ઉન્નાવ રેપ કેસમાં મુખ્ય આરોપી કુલદીપ સિંહ સેંગર સહીત અન્ય આરોપીઓના ઠેકાણે રવિવારે સીબીઆઈ છાપામારી કરી રહી છે. મળતી માહિતી અનુસાર સીબીઆઈની ટીમે આજે કુલદીપ સિંહ સેંગર ના ઘર સહીત 17 ઠેકાણે છાપામારી કરી છે. આ છાપામારી યુપીના ચાર જિલ્લા લખનવ, ઉન્નાવ, બાંદી અને ફતેહપુરમાં થઇ રહી છે.
કુલદીપ સેંગરના 17 ઠેકાણે સીબીઆઈના દરોડા
અગાઉ ઉન્નાવ બળાત્કાર પીડિતાના રોડ અકસ્માતની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમ શનિવારે સીતાપુર પહોંચી હતી અને જેલમાં કુલદીપ સિંહ સેંગરની પૂછપરછ કરી હતી. લગભગ 6 કલાક ચાલેલી પૂછપરછમાં સીબીઆઈએ જેલના અધિક્ષક, જેલર અને ડેપ્યુટી જેલર સહિત ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પૂછપરછ કરી હતી, જે દરમિયાન જેલમાં સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી છે.
ઉન્નાવ કેસઃ વકીલનું વેંટીલેટર હટાવવામાં આવ્યુ, રેપ પીડિતાની સ્થિતિ હજુ પણ નાજુક
પ્રોડક્શન વોરંટ જારી કરાયું છે
આરોપી કુલદીપસિંહ સેંગર અને શશી સિંહ સામે પ્રોડક્શન વોરંટ જારી કર્યું છે. જેમાં કોર્ટે આરોપીને 5 ઓગસ્ટે બપોરે 12:30 વાગ્યે હાજર રહેવા આદેશ આપ્યો છે. દિલ્હીની ત્રીસ હજારી કોર્ટે આ કેસમાં કેટલાક અન્ય આરોપીઓ સામે પ્રોડક્શન વોરંટ જારી કર્યું છે, જેમાં તેમને 6 ઓગસ્ટે કોર્ટમાં હાજર રહેવા કહેવામાં આવ્યું છે. આ મામલે આગળની સુનાવણી સોમવારે થશે.
શસ્ત્ર લાઇસન્સ રદ કર્યું
ઉન્નાવ ગેંગરેપ પીડિતા રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ કુલદીપ સિંહ સેંગર સામે મામલો કડક થઇ રહ્યો છે. પીડિતાની સારવાર લખનઉની કેજીએમયુ હોસ્પિટલમાં થઈ રહી છે. દરમિયાન, સીબીઆઈની ટીમ આ સમગ્ર મામલામાં તપાસમાં લાગી ગઈ છે. પ્રશાસને ભાજપમાંથી હાંકી કઢાયેલા કુલદીપસિંહ સેંગરના ત્રણ લાઇસન્સ રદ કર્યા છે.
સ્પેશ્યલ ટીમ તપાસ કરી રહી છે
સીબીઆઈ ઉન્નાવ રેપ કેસની તપાસ કરી રહી છે અને પાંચે કેસ યુપીથી દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઉન્નાવ બળાત્કાર પીડિતાની સાથે સીબીઆઈએ રોડ અકસ્માતની તપાસ માટે 20 અધિકારીઓની વધારાની વિશેષ ટીમની રચના કરી છે. આ ટીમમાં એસપી, એએસપી, ડીએસપી કક્ષાના અનેક અધિકારીઓ શામેલ છે. આ ઉપરાંત બળાત્કારનો ભોગ બનેલા કાકાને પણ રાયબરેલી જેલથી દિલ્હીની તિહાડ જેલમાં ખસેડવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર બળાત્કાર પીડિતા અને તેના પરિવારને સીઆરપીએફ સુરક્ષા આપવામાં આવી છે. તેમજ સુપ્રીમ કોર્ટે યુપી સરકારને બળાત્કાર પીડિતાને વચગાળાના વળતર આપવા નિર્દેશ આપ્યો છે.