ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ
દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ખરાબ રીતે દાઝી ગયેલા ઉન્નાવ રેપ પીડિતાનું મોત નીપજ્યું હતું. ત્યારબાદથી, ઉન્નાવ બળાત્કાર મામલે વિપક્ષ યુપીની યોગી સરકારને નિશાન બનાવતુ હતુ.
દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ખરાબ રીતે દાઝી ગયેલા ઉન્નાવ રેપ પીડિતાનું મોત નીપજ્યું હતું. ત્યારબાદથી, ઉન્નાવ બળાત્કાર મામલે વિપક્ષ યુપીની યોગી સરકારને નિશાન બનાવતુ હતુ. કોંગ્રેસ બાદ હવે સમાજવાદી પાર્ટીએ પણ બળાત્કારના કેસમાં વિરોધ શરૂ કર્યો છે. શનિવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવ વિધાનસભા સામે ધરણા પર બેઠા છે.

ઉન્નાવ રેપ કેસ
ઉલ્લેખનિય છેકે યુપીના ઉન્નાવમાં આગના હવાલે કરવામાં આવેલ રેપ પીડિતાનુ શુક્રવારે મોડી રાતે દિલ્લીની સફરદરગંજ હોસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટથી મોત થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે પીડિતા રાયબરેલીમાં પોતાની ફોઈના ત્યાં રહેતી હતી. ગુરુવારે સવારે 4 વાગે તે ટ્રેન પકડવા માટે બેસવારા બિહાર રેલવે સ્ટશન જઈ રહી હતી ત્યારે મીરા વળાંક પર ગામના હરિશંકર ત્રિવેદી, કિશોર, શુભમ, શિવમ અને ઉમેશે તે ઘેરી લીધી અને દંડા અને ચાકૂથી વાર કર્યા. આ દરમિયાન જ્યારે તે ચક્કર ખઈને પડી ગઈ તો તેને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી. કેસની તપાસ રાયબરેલી પોલિસે કરી હતી અને બે આરોપી જામીન પર બહાર હતા.

પીડિતાને એરલિફ્ટથી લવાઇ દિલ્હી
લગભગ 90 ટકા બળી ગયેલી પીડિતાને ગુરુવારે સાંજે એરલિફ્ટ કરીને લખનઉની સિવિલ હોસ્પિટલમાંથી દિલ્લી લાવવામાં આવી હતી. દિલ્લી એરપોર્ટથી હોસ્પિટલ સુધી એમ્બ્યુલન્સ માટે ગ્રીન કૉરિડોર બનાવવામાં આવ્યો હતો.

મોડી રાત્રે પીડિતાનું થયું મૃત્યુ
સફદરગંજ હોસ્પિટલના બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી વિભાગના પ્રમુખ ડૉ. શલભ કુમારે જણાવ્યુ કે, અમારી તમામ કોશિશો છતાં પીડિતાને બચાવી શકાઈ નહિ. સાંજથી જ તેની સ્થિતિ ગંભીર થવા લાગી હતી. રાતે 11.10 વાગે તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. અમે ઈલાજ શરૂ કર્યો અને તેને બચાવવાની પૂરી કોશિશ કરી પરંતુ 11.40 મિનિટે તેનુ મોત થઈ ગયુ. તેમણે જણાવ્યુ કે પીડિતાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યુ છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
