ઉન્નાવ કેસઃ વકીલનું વેંટીલેટર હટાવવામાં આવ્યુ, રેપ પીડિતાની સ્થિતિ હજુ પણ નાજુક
રાયબરેલી માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ઉન્નાવ રેપ પીડિતા અને તેના વકીલની હાલત છઠ્ઠા દિવસે પણ જેમની તેમ જ છે.
રાયબરેલી માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ઉન્નાવ રેપ પીડિતા અને તેના વકીલની હાલત છઠ્ઠા દિવસે પણ જેમની તેમ જ છે. પીડિતા હજુ પણ વેંટિલેટર પર છે જ્યારે વકીલનું વેંટિલેટર હટાવી લેવામાં આવ્યુ છે. કેજીએમયુ, લખનઉના ડૉક્ટર એસએન શંખવારે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ કે ઉન્નાવ રેપ પીડિતાની હાલત નાજુક પરંતુ સ્થિર છે જ્યારે વકીલની હાલતમાં થોડો સુધારો છે.

વકીલનું વેંટિલેટર હટાવવામાં આવ્યુ
ડૉક્ટરે જણાવ્યુ કે વકીલની હાલતમાં સુધારો થતાં વેંટિલેટર સંપૂર્ણપણ હટાવી લેવામાં આવ્યુ છે. ડૉક્ટરે જણાવ્યુ કે રાજ્ય સરકારના નિર્દેશ પર બંનેનો મફતમાં ઈલાજ થઈ રહ્યો છે. આ પહેલા શુક્રવારે જારી કરાયેલ મેડીકલ બુલેટિનમાં હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યુ હતુ કે 28 જુલાઈથી આઈસીયુમાં ભરતી પીડિતા અને તેના વકીલની સ્થિતિ નાજુક પરંતુ સ્થિર બનેલી છે. આ દરમિયાન શનિવારે સવારે સીબીઆઈની એક ટીમ પીડિતાના પરિજનોને મળવા પહોંચી હતી.

પીડિતાની સ્થિતિ હજુ પણ નાજુક
કેજીએમયુના ટ્રોમા સેન્ટરના પ્રભારી ડૉ. સંદીપ તિવારીએ જણાવ્યુ કે યુવતીના ઘણી હાડકા તૂટ્યા છે. સાથે છાતીમાં પણ ઈજા છે. પીડિતાની હાલતમાં સામાન્ય સુધારો થયો છે પરંતુ આને સંતોષજનક ન કહી શકાય. ડૉક્ટરોની ટીમ સતત મોનિટરીંગ કરી રહી છે અને પીડિતાને હજુ પણ વેંટિલેટર પર રાખવામાં આવી છે. ડૉક્ટરે જણાવ્યુ કે ઘાયલ વકીલ મહેન્દ્ર સિંહને ગુરુવારે દિવસમાં થોડી વાર માટે વેંટિલેટર પર હટાવીને નિરીક્ષણ હઠળ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની હાલત સ્થિર રહી હતી. બાદમાં પછી તેમને વેંટિલેટર પર કરી દેવામાં આવ્યા હતા.

લખનઉના કેજીએમયુમાં ઉન્નાવ રેપ પીડિતાનો થઈ રહ્યો છે ઈલાજ
તમને જણાવી દઈએ કે રેપ પીડિતાની માની ચિઠ્ઠી પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે ઉન્નાવ રેપ કેસ સાથે જોડાયેલ બધા કેસ દિલ્લી ટ્રાન્સફર કરવાનો આદેશ હતો. કોર્ટે 45 દિવસોમાં ટ્રાયલ પૂરી કરવાનો આદેશ આપ્યો હતો. સાથે કોર્ટે પીડિતાની હાલત વિશે માહિતી લીધી હતી અને કહ્યુ હતુ કે જો તે આ સ્થિતિમાં છે કે તેને શિફ્ટ કરવામાં આવે તો દિલ્લી એરલિફ્ટ કરવામાં આવશે. જો કે ત્યારબાદ પીડિતાના પરિવાર તરફથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી કે તેનો ઈલાજ લખનઉમાં જ કરાવવામાં આવે. આ કેસ પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
