બસ પર પડ્યો હાઇટેન્શન વાયર, 12ના મોત, 32 દાઝ્યા

વાયર પડવાના કારણે બસમાં કરન્ટ પ્રસરી ગયો અને સ્પાર્કિંગ થવાના કારણે બસમાં આગ લાગી ગઇ. જેમાં 12 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે 32 લોકો દાઝ્યા હતા. દાઝેલા લોકોને પહેલા સીએચસી અને પછી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. નોંધનીય છે કે મંગળવારે ચાર વાગે જહાનાબાદથી ફતેહપુર જવા માટે આ બસ ઉભી હતી.
ચાલકે બસને જેવી રિવર્સમાં લીધી કે તે હાઇ ટેન્શન લાઇન સાથે અથડાઇ અને જોરદાર સ્પાર્ક સાથે વાયર તૂટીને બસ પર પડ્યો. જેના કારણે બસમાં આગ લાગી ગઇ. બસમાંથી કૂદને 10 લોકો જીવ બચાવવામાં સફળ રહ્યાં. સબ સ્ટેશનમાંથી જ્યાં સુધી વિજ કનેક્શન કાપવામાં આવ્યું ત્યાં સુધીમાં બસમાં આગ લાગી ગઇ હતી. બસમાં ફસાયેલા લોકો મદદ માટે બુમો પાડી રહ્યાં હતા, પરંતુ બહાર ઉભેલા લોકો તેમને બચાવવા અસમર્થ હતા. કનેક્શન કપાયા પછી લોકોએ કાચ તોડીને બસમાં ફસાયેલા લોકોને બચાવવા મદદ કરી પરંતુ ત્યાં સુધીમાં 12 લોકોના મોત નિપજી ગયા હતા.












Click it and Unblock the Notifications
