વિચારધારામાં મતભેદ હોવા છતાં સપા સાથે ગઠબંધન કરશે કોંગ્રેસ!
વિચારધારામાં મતભેદ હોવા છતાં સપા સાથે ગઠબંધન કરશે કોંગ્રેસ!
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે મંગળવારે કહ્યું કે તેમની પાર્ટી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની વિચારધારા અલગ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને સત્તાથી બહાર રાખવા માટે કોંગ્રેસ સપા સાથે ગઠબંધન કરી શકે છે. સલમાન ખુર્શીદે આ વાત એવા સમયે કરી છે જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ચૂંટણી બાદ સપા સાથે ગઠબંધનને લઈ સંકેત આપી ચૂક્યાં છે.

એએનઆઈ સાથે વાત કરતાં સલમાન ખુર્શીદે કહ્યું, "સપા સાથે અમારા સંબંધ સારા નથી, કેમ કે અમારા વૈચારિક મતભેદો છે. પરંતુ મોટા ફ્રેમવર્ક અંતર્ગત અમે ભાજપને સત્તાથી બહાર રાખવાની પ્રાથમિકતા આપશું કેમ કે તેઓ બહુ ભયાનક રહ્યા છે." ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કાના મતદાન વચ્ચે સલમાન ખુર્શીદના નિવેદનથી સંકેત મળે છે કે કોંગ્રેસ ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં રાજ્યમાં ચૂંટણી બાદ ગઠબંધન માટે તૈયાર છે.
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પ્રચાર પર સલમાન ખુર્શીદે કહ્યું, "રાજ્યમાં અમારી ઉપસ્થિતિ નોંધાવવા માટે જોરદાર રીતે ચૂંટણી લડી રહ્યા છીએ. જો કે વાડ્રા તરફથી બનાવવામાં આવેલી નવી રણનીતિનો પ્રભાવને જોવા માટે આપણે ઈંતેજાર કરવાની જરૂરત છે. આજે નહીં તો કાલે રાજનીતિ ઉત્તર પ્રદેશનો ચહેરો બદલવા જઈ રહી છે."
બુધવારે ચોથા તબક્કાના મતદાન બાદ ઉત્તર પ્રદેશમાં રાજ્યની 58 ટકા સીટો પર ચૂંટણી સંપન્ન થઈ જશે. ભાજપ અને સપા બંનેએ રાજ્યમાં સરકાર બનાવવાનો ભરોસો જતાવ્યો છે. પ્રિયંકા ગાંધીએ પ્રચાર અભિયાન દરમિયાન કહ્યું કે કોંગ્રેસની પિચ લોકો માટે તત્કાલ ચિંતાનો વિષય હોય તેવા મુદ્દાઓ પર છે. ચૂંટણી પછી સપા સાથે જવા માટે પણ પ્રિયંકા ગાંધી સંકેત આપી ચૂક્યાં છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ દિશામાં સંકેત આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં 3 તબક્કાનું મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે, આજે ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. જ્યારે આગામી 27 ફેબ્રુઆરીએ પાંચમા તબક્કામાં મતદાન થશે, 3 માર્ચના રોજ છઠ્ઠા તબક્કામાં મતદાન થશે અને 7 માર્ચના રોજ છેલ્લા અને સાતમા તબક્કાનું મતદાન થશે, આ ઉપરાંત આગામી 10 માર્ચના રોજ ઉત્તર પ્રદેશ વિધાનસભાના પરિણામ ઘોષિત થશે. ત્યારે યુપીની સત્તા પર કોણ બેસશે તે પરિણામ જાહેર થયા બાદ જ જાણી શકાશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
