UP Nagarpalika Election: CM યોગીએ સંભાળી અયોધ્યાની કમાન, 11મેએ થવાનુ છે મતદાન

UP Nagarpalika Election: ઉત્તર પ્રદેશમાં અયોધ્યાની મેયર સીટ માટે બીજા તબક્કા હેઠળ 11 મેના રોજ મતદાન થવાનું છે. જો કે, અયોધ્યામાં જે રીતે સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે જોરદાર જંગ જોવા મળી રહ્યો છે.

અયોધ્યામાં સંભવિત પરિણામોને લઈને ભાજપ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. સીએમ યોગીએ કહ્યુ છે કે તેમને આશા છે કે રામના ભક્તો પર ગોળીબાર કરનારાઓને રામની નગરીના લોકો સ્વીકારશે નહીં.

Yogi Adityanath

અયોધ્યામાં નગપાલિકાની ચૂંટણીઓ માટે એક રેલીને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ, 'જો રામ ભક્તો પર ગોળીબાર કરનારાઓ જીતશે, તો અહીંથી જનતામાં ખોટો સંદેશ જશે અને જો રામભક્તો અહીંથી જીતશે, તો તેનાથી સમગ્ર દેશમાં સકારાત્મક સંદેશ જશે, તેથી જ્યારે તમે મતદાન કરો ત્યારે ખૂબ જ સમજી વિચારીને કરો.'

આ વખતે મણિરામદાસની છાવણીમાં પાર્ટીના મેયર પદના ઉમેદવાર ગિરીશ પતિ ત્રિપાઠી મેદાનમાં છે. તેમના પ્રચાર માટે પહોંચેલા યોગીએ કહ્યું, 'અયોધ્યા આપણી છે અને તેના પ્રત્યે આપણી પણ સામૂહિક જવાબદારી છે, આપણે અયોધ્યાને વિકાસની ટોચ પર લઈ જવી જોઈએ. અયોધ્યા દેશ અને દુનિયાના નિશાના પર છે.'

મુખ્યમંત્રીએ યોગીએ કહ્યું કે જ્યારે મજબૂત બોર્ડ બનશે ત્યારે વિકાસ ઝડપથી થશે. જો લોકશાહીના આ પર્વમાં અયોધ્યાના રામ ભક્ત જીતશે તો તે સકારાત્મક છાપ છોડશે. વિશ્વભરમાં ભારતને અલગ રીતે જોવામાં આવે છે. વૈશ્વિક કટોકટીના સમયમાં વિશ્વ હવે પીએમ મોદી તરફ જોઈ રહ્યું છે. આવી બદલાતી પરિસ્થિતિમાં આપણે આપણી જાતને બદલાતા ભારત સાથે જોડવી પડશે.'

સીએમ યોગીએ કહ્યું, 'આપણે બધા 2017થી સતત દીપોત્સવ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છીએ. ગયા વર્ષે પીએમની હાજરી તેને નવી ઊંચાઈએ લઈ ગઈ હતી. દીપોત્સવ આપણને ત્રેતાયુગ તરફ લઈ જાય છે. આ વર્ષે રામ નવમી પર 35 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા હતા. જાન્યુઆરીમાં જ્યારે શ્રી રામનું ભવ્ય મંદિર તૈયાર થશે ત્યારે એક કરોડથી વધુ ભક્તો ત્યાં પહોંચશે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X