UP news : લખનઉમાં મે 21 લાખ મુસાફરોએ લીધો મેટ્રોનો લાભ, તોડ્યો રેકોર્ડ
UP news : લખનઉમાં મેમાં અંદાજે 21 લાખ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. લખનઉ મેટ્રોની સ્થાપના થયા બાદથી અત્યાર સુધીમાં સૌથી વધુ માસિક મુસાફરો મે 2023માં નોંધાયા છે. 31 દિવસમાં લખનઉ મેટ્રોમાં 20.93 લાખ મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો.
આ અગાઉ ડિસેમ્બર 2022માં સૌથી વધુ માસિક મુસાફરોની સંખ્યા 20.47 લાખ નોંધાઈ હતી. UPMRCના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બસો અને ઓટો રિક્ષાના ભાડાં અને કાળઝાળ ગરમીએ મેટ્રોને એવા મુસાફરોમાં પસંદગીનો વિકલ્પ બનાવ્યો છે, જેઓ ઝડપી અને એર-કન્ડિશન્ડ સેવા પસંદ કરે છે.

રાઇડરશિપ ડેટા દર્શાવે છે કે, 30 મેના રોજ લખનઉ મેટ્રોમાં 79,656 મુસાફરો નોંધાયા હતા. જોકે, 15 ઓક્ટોબર, 2022ના રોજ, UPMRCએ 91,834 રાઇડર્સની નોંધણી કરી, જે શહેરમાં મેટ્રો સેવામાં અત્યાર સુધીની સૌથી વધુ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, જાગૃતિ ઝુંબેશ, નાના પાયે ઉદ્યોગપતિઓના કાર્નિવલ, જન્મદિવસની ઉજવણી, મેટ્રો પરિસરમાં યુગલો માટે લગ્ન પહેલાના શૂટોએ નાગરિકોમાં જાહેર પરિવહનની છબીને વેગ આપ્યો છે.
આ અંગે ખુશી વ્યક્ત કરતા, UPMRC મેનેજિંગ ડિરેક્ટર સુશીલ કુમારે જણાવ્યું હતું કે, આ આંકડો લખનઉ મેટ્રોમાં મુસાફરોનો વિશ્વાસ દર્શાવે છે. આ સેવા ભવિષ્યમાં પણ મુસાફરોને સ્વચ્છ, સલામત, અનુકૂળ, સુલભ અને ઝડપી મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાનું ચાલુ રાખશે.












Click it and Unblock the Notifications
