UP News: સીએમ યોગી આદિત્યનાથે ગોરખપુરમાં જનતા દર્શનમાં સાંભળી 700 લોકોની અરજીઓ
Yogi Adityanath in Gorakhpur: સીએમ યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિર પ્રવાસ દરમિયા પ્રાથમિકતાના આધારે જરુરિયાતમંદ લોકોના આયુષ્માન હેલ્થ કાર્ડ બનાવવાના નિર્દેશ આપ્યા.
વળી, સીએમ યોગીએ ગુરુવારે ગોરખનાથ મંદિરમાં જનતા દર્શન દરમિયાન આ નિર્દેશ આપ્યા. અહીં તેમણે લગભગ સાતસો લોકોની મુશ્કેલીઓ સાંભળી અને ત્યારબાદ તેમના પ્રાર્થના પત્રોને સંબધિત અધિકારીઓને આદેશ કર્યા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બધા લોકોને વિશ્વાસ અપાવ્યો કે બધાની પીડા દૂર કરવામાં આવશે. જનતા દર્શનમાં બીજા જિલ્લાના પણ બધા લોકો આવ્યા હતા. જનતા દર્શનમાં ગંભીર બિમારીઓના ઈલાજની મદદ માટે લોકોને સીએમ યોગીએ આશ્વાસન આપ્યુ કે ઈલાજમાં પૈસાની ઉણપ નહિ થવા દેવામાં આવે.
સંબંધિત હોસ્પિટલ પાસેથી એસ્ટીમેટ લીધા બાદ તેની પ્રક્રિયા પૂર્ણ કરીને મુખ્યમંત્રી કાર્યાલયને ઉપલબ્ધ કરાવવામાં આવે. સહાયની રકમ વિવેકાધીન ભંડોળમાંથી તરત જ બહાર પાડવામાં આવશે. તેમણે અધિકારીઓને પ્રાધાન્યતાના આધારે અંદાજ પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો.
સીએમ યોગીએ નિર્દેશ આપ્યા કે જનસમસ્યાઓના ઉકેલમાં ઢીલાશ માફ કરવામાં નહિ આવે. દરેક વ્યક્તિની સમસ્યા પૂરી પ્રતિબદ્ધતા અને પારદર્શિતા સાથે ઉકેલવામાં આવશે અને તેમાં કોઈએ પણ બેદરકારી કરી તો દંડ ભોગવવો પડશે. માટે અધિકારી સંવેદનશીલતા સાથે લોકોની સમસ્યાઓ સાંભળે અને ગુણવત્તાપૂર્ણ, ત્વરિત સમાધાન સુનિશ્ચિત કરે.












Click it and Unblock the Notifications
