UP News: ગેમિંગ એપથી બાળકોનુ કરાવી રહ્યા છે ધર્મ પરિવર્તન, આ રીતે યુપી પોલીસે પકડ્યાઃ CM યોગી
નોઈડાઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે યુપી પોલીસે એક એવો કેસ પકડ્યો છે જેમાં સ્માર્ટફોનમાં ગેમિંગ એપ દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યુ છે.
નોઈડા પ્રવાસ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગેમિંગ એપ દ્વારા ધર્માંતરણનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યુ કે આ એક બહુ મોટી ગેંગ છે જે બાળકોને ખોટી રીતે ફસાવીને તેમનુ ધર્માંતરણ કરાવી રહી છે.

સીએમ યોગીએ વધુમાં જણાવ્યુ કે આ ગેંગ માત્ર યુપી જ નહિ પરંતુ 25 રાજ્યોમાં ફેલાયેલી છે. આવી ઘટનાઓ યુપીમાં શરુ થઈ માટે અમે લવ જેહાદ સામે વટહુકમ લઈને આવ્યા. કાયદો તો પોતાનુ કામ કરશે પરંતુ સમાજના લોકોએ પણ જાગૃત થવુ પડશે.
તમને જણાવી દઈએ કે સીએમ યોગીએ નોઈડામાં 1700 કરોડથી વધુની પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યુ. જેમાં સૌથી મુખ્ય પર્થલા ફ્લાઈઓવરનો સમાવેશ થાય છે. જે 81 કરોડ 51 લાખ રુપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ ફ્લાયઓવર બનવાથી ટ્રાફિક જામની સમસ્યા ખતમ થઈ ગઈ છે.
વળી, સેક્ટર-142 પાસે બનેલ અંડરપાસથી ઘણા સેક્ટર અને ગામના ચક્કર ખતમ થઈ ગયા છે. સેક્ટર-78માં બનેલ વેદવન પાર્ક પણ હવે સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. સીએમ યોગીએ એ ભ્રમ તોડી નાખ્યો છે કે જે નેતા મુખ્યમંત્રી તરીકે નોઈડા આવે છે તે ફરીથી મુખ્યમંત્રી નથી બની શકતા.












Click it and Unblock the Notifications
