UP News : હવે ઉત્તર પ્રદેશમાં સ્મશાનોમાં થશે મોટા બદલાવ, ઓછા લાકડાનો થશે ઉપયોગ
UP News : ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથે સોમવારના રોજ મોટો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને સુચન કર્યું હતું કે, સ્મશાનોમાં ઉપયોગમાં લેવાતી 50 ટકા લાકડાની જગ્યાએ ગાયના છાણાનો ઉપયોગ કરવામાં આવશે. આમાંથી થયેલી આવકને ગૌશાળાના વિકાસમાં ઉપયોગ કરવામાં આવશે.
એક સત્તાવાર નિવેદન અનુસાર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યમાં રખડતા ઢોરોના આશ્રયસ્થાનો અને દૂધ ઉત્પાદનની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકને સંબોધિત કરી રહ્યા હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને જણાવ્યું હતું કે, સ્મશાનગૃહમાં વપરાતા કુલ લાકડામાંથી 50 ટકાને ગોબરની કેકમાં રૂપાંતરિત કરવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, રખડતી ગાયો માટે આશ્રયસ્થાનોમાંથી ગાયનું છાણ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આમાંથી થતી આવક તેમના સંચાલન માટે વાપરવામાં આવશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રખડતા પ્રાણીઓના રક્ષણ અને તેમના ચારા માટે જરૂરી વ્યવસ્થા કરી છે. હાલમાં 6,719 પશુ સંરક્ષણ સ્થળો પર 11.33 લાખથી વધુ ગાયો સુરક્ષિત છે. રાજ્યના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરની કાળજી લેવામાં આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, રાજ્યમાં પશુઓના સંરક્ષણ માટે મોટા સંરક્ષણ કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 274 મોટા ગાય સંરક્ષણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભાગીદારી યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.77 લાખથી વધુ ગાયો આમ જનતાને સોંપવામાં આવી છે. કુપોષિત બાળકો ધરાવતા પરિવારોને દૂધની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પોષણ મિશન હેઠળ 3,598 ગાયો સોંપવામાં આવી છે.
સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રાજ્યની સહકારી દૂધ મંડળીઓ સાથે સંકળાયેલા ડેરી ખેડૂતોને વળતરયુક્ત ભાવો સુનિશ્ચિત કરીને સામાન્ય જનતાને વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત દૂધ અને દૂધ ઉત્પાદનો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારે ખાનગી ખેલાડીઓની મદદથી કાનપુર, મુરાદાબાદ, ગોરખપુર, આઝમગઢ અને પ્રયાગરાજ જિલ્લામાં નવા ડેરી પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કર્યો છે.












Click it and Unblock the Notifications
