Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

UP Politics : યોગી આદિત્યનાથની વિદાય લગભગ નક્કી? જાણો અખિલેશ યાદવના નિવેદનનો શું અર્થ છે?

UP Politics: ઉત્તર પ્રદેશના કારણે લોકસભા ચૂંટણીમાં બીજેપીની કારમી હાર બાદ નરેન્દ્ર મોદી અને અમિત શાહની નજરોમાં યોગી આદિત્યનાથ ખુંચી રહ્યાં છે. આ જ કારણ છે કે હવે તેમને હટાવવા કવાયત ચલાવાઈ રહી છે.

ઉત્તર પ્રદેશમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે વિપક્ષ પણ યોગી સરકારમાં ચાલી રહેલી ખેંચતાણનો ફાયદો ઉઠાવી રહ્યો છે. સપા સુપ્રીમો અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર આપેલા નિવેદનથી રાજકીય હલચલ વધી ગઈ છે.

UP Politics

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા સુપ્રીમો અખિલેશ યાદવે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ચોમાસું એક ઓફર છે, સો લાવો અને સરકાર બનાવો. આ નિવેદન બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.

આ નિવેદનને કેશવ મૌર્ય સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. એવી પણ ચર્ચા છે કે જો બીજેપીમાં કોઈપણ નેતા સો ધારાસભ્યોનું સમર્થન એકત્ર કરે છે તો સપા તેને મુખ્યમંત્રી પદ માટે સમર્થન આપી શકે છે.

સપા સુપ્રીમો અખિલેશ યાદવે અગાઉ પણ કેશવ મૌર્યને સરકાર બનાવવાની ઓફર કરી હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કેશવ પ્રસાદ મૌર્ય ખૂબ જ નબળા માણસ છે. તેનું એક સપનું હતું પણ તે પૂરું ન થયું. તેમણે સો ધારાસભ્યો લાવવા જોઈએ. અમે તેમને સમર્થન આપીશું. તેમણે બિહારમાંથી બોધપાઠ લેવો જોઈએ. બિહારમાં શું થયું, યુપીમાં કેમ નથી થયું?

જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં જે રીતે રાજકિય ગતિવિધિઓ ચાલી રહી છે તેને જોતા યોગા આદિત્યનાથની ખુરશી જાય તો નવાઈ નહીં. નિર્દોષ લોકોના ઘર તોડનારા યોગી આદિત્યનાથથી જનતામાં પણ ભારે નારાજગી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X