Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઉરી હુમલો: જાણો કયા રસ્તે ઘુસ્યા આતંકી, શેનો ઉઠાવ્યો ફાયદો?

જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં થયેલા આતંકી હુમલામાં જ્યાં લગભગ 20 જવાનો શહીદ થયા છે ત્યાં બીજી તરફ ભારતે સખત પગલાં ભરવાનું મન મનાવી લીધું છે. ઇંટનો જવાબ પત્થરથી નહીં, ચટ્ટાનથી આપવામાં આવશે. આને ધ્યાને લેતાં ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા એક ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં પાકિસ્તાનને જડબાતોબ જવાબ આપવા માટેનો તખ્તો ઘડાઇ રહ્યો છે.

Uri terror attack part of pak's game plan to spread unrest in kashmir

હુમલા પછી સૌથી મોટો સવાલ - આતંકી આર્મી બેઝ કેમ્પ સુધી ઘુસ્યા કેવી રીતે?

પ્રાથમિક તપાસ પરથી એવું જણાઈ રહ્યું છે કે આતંકી, ઉરીના આર્મી બ્રિગેડ હેડક્વાટર પર તેઓ ઝેલમનાં રસ્તે POK નાં સલામાબાદ નહેરથી ઘુસ્યા હશે. સરહદ પર આવેલી તારની વાડ કાપીને અંદર આવ્યા હોવા જોઈએ. મીડિયા રીપોર્ટ અનુસાર હુમલાના ૨૪ થી ૪૮ કલાક પેહલા જ તેમને ઘુસણખોરી કરી લીધી હશે.

Uri terror attack part of pak's game plan to spread unrest in kashmir

ડ્યુટીમાં અદલા-બદલીનો ઉઠાવ્યો ફાયદો

આતંકીઓએ બરાબર આર એન ડી કરી હોય તેવું પણ જણાઈ આવે છે. સવારે લગભગ ૦૩:30 વાગ્યે તેઓ આર્મી બેઝમાં ઘુસ્યા. આ સમયે પહોચીને તેમને જવાનોની ડ્યુટીમાં અદલા-બદલીનો ફાયદો ઉઠાવ્યો. બેઝમાં ઘુસ્યા પછી તેઓ બે ભાગમાં વેહચાઈ ગયા. આતાકીઓનાં એક જુથે કેમ્પમાં ગ્રેનેડ વળે હુમલો કર્યો તો બીજી ટુકડી બેરેકમાં ઘુસી. અને પછી આતંકનો જે કેર વર્તાવ્યો છે એ સૌની નજર સામે છે. બે વર્ષ પેહલા પણ આતંકીઓએ આવી જ રીતે બેઝ કેમ્પ પર હુમલો કર્યો હતો, જેમાં 10 જવાનો શહીદ થયા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X