મહારાષ્ટ્રમાં શિવસેના ઉર્મિલા માતોંડકર એમએલસી બનવશે, રાજ્યપાલને નામ મોકલ્યું
મહારાષ્ટ્રમાં શિવસેના ઉર્મિલા માતોંડકર એમએલસી બનવશે, રાજ્યપાલને નામ મોકલ્યું
મુંબઈઃ બૉલીવુડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરને મહારાષ્ટ્ર સરકાર જલદી જ વિધાન પરિષદના સભ્ય બનાવશે. મહારાષ્ટ્ર મહાગઠબંધન સરકારે શુક્રવારે મહારાષ્ટ્ર રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના કોટાથી મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં નામાંકન માટે 12 નામોની યાદી મોકલી છે. આ યાદીમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસનાં 4-4 નામ સામેલ છે. જેમને રાજ્યપાલના કોટાથી વિધાન પરિષદ મોકલવામાં આવશે. આ યાદીમાં ઉર્મિલા માતોંડકરનું નામ પણ સામેલ છે.

રાજ્યપાલને ત્રણેય પાર્ટીઓએ નામ મોકલ્યાં
જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં મહા વિકાસ ઉઘાડી સરકારમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન છે. ગઠબંધન સરકારમાં સામેલ આ ત્રણેય પાર્ટીઓએ પોતપોતાના 4-4 નેતાઓના નામ રાજ્યપાલને મોકલ્યાં છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ એકનાથ ખડસે, રાજૂ શેટ્ટી, યશપાલ ભિંગે અને આનંદ શિંદેનું નામ મોકલ્યું છે. જ્યારે સત્તા પર સ્થાપિત શિવસેનાએ ઉર્મિલા માતોંડકર, ચંદ્રકાંત રઘુવંશી, વિજય કરંજકર અને નિતીન બાનગુડે પાટીલના નામ રાજ્યપાલને મોકલ્યાં છે.

2019 લોકસભા ચૂંટણીમાં ઉર્મિલા આ પાર્ટીથી ચૂંટણી લડી ચૂકી છે
ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં સામેલ થઈ હતી. કોંગ્રેસ પાર્ટીએ તેમને મુંબઈ નોર્થથી ટિકિટ આપવામાં આવી હતી પરંતુ તેઓ ચૂંટણી હારી ગયાં હતાં. ઉર્મિલાએ મરાઠી ફિલ્મ 'જાકોલ 1988'થી સાત વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે ફિલ્મી કરિયર શરૂ કર્યું હતું જે બાદ તેમણે શેખર કપૂરની પિલ્મ માસૂમમાં બાળ અભિનેત્રીના રૂપમાં કામ કર્યું હતું. જે બાદ બૉલીવુડની કેટલીય ફિલ્મોમાં અદાકારીથી નામ કમાયું.

એનસીપીએ એકનાથ ખડસેનું નામ મોકલ્યું
જણાવી દઈએ કે રાજ્યપાલને મોકલવામાં આવેલી આ યાદીમાં એનસીપીના એકનાથ ખડસેનું નામ પણ સામેલ છે જેમણે હાલમાં જ ભાજપનો સાથ ચોડી શરદ પવારની એનસીપીનો હાથ થામ્યો હતો. અગાઉ ત્રણેય દળોએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને અલગ-અલગ મુહરબંધ લિફાફામાં નામ સોંપ્યાં હતાં કેમ કે તેમણે નામનો ખુલાસો ના કરવાનો ફેસલો લીધો હતો. એક વરિષ્ઠ મંત્રીએ ફ્રી પ્રેસ જર્નલને જણાવ્યું, 'ત્રણેય પાર્ટી ગવર્નર બીએસ કોશ્યારીને પ્રેસ અને મીડિયા સામે ખુલાસો કરવાનો કોઈ મોકો આપવા નથી માંગતા.' નામાંકન જૂનમાં થતા હતા પરંતુ કોવિડ-19 મહામારીને કારણે આ ટાળી દેવામાં આવ્યાં હતાં.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
