નરેન્દ્ર મોદીએ મૂક્યો સોશિયલ મીડિયાના ઉપયોગ પર ભાર
નવી દિલ્હી, 21 મે : દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની આજે મંગળવારે સંસદીય દળની બેઠક યોજાઇ અને આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. મોદી માટે સંસદીય દળની બેઠકમાં સામેલ હોવાની પ્રથમ તક હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંસદીય દળના દરેક સભ્યોએ પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા. જેમાં નરેન્દ્ર મોદીએ વધારેમાં વધારે સોશિયલ મીડિયાના ઉપયોગ કરવા પર ભાર મૂક્યો.
નરેન્દ્ર મોદી બીજેપીના એકમાત્ર એવા મુખ્યમંત્રી છે જેમને સંસદીય દળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજની આ બેઠકનો મુદ્દો દેશની હાલની રાજનૈતિક હાલતને બનાવવામાં આવ્યો હતો.













Click it and Unblock the Notifications
