યુપીની દરેક જિલ્લા હૉસ્પિટલોને મળશે 100 બેડનુ ICU યુનિટ, આ છે સરકારનો દાવો
CM Yogi Adityanath: ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં 100 બેડના આઈસીયુ યુનિટ અને અદ્યતન લેબોરેટરીની સ્થાપના કરવામાં આવશે. આ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ યુપી સરકારના વખાણ કરતા કહ્યું છે કે યુપીના આરોગ્ય સ્વાસ્થ્ય મેળાના રાજ્ય મોડલને દેશભરમાં લાગુ કરવામાં આવશે. આ એક શાનદાર શરૂઆત છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2020માં તેની શરૂઆતથી, આરોગ્ય મેળામાં 12 કરોડથી વધુ લોકોની સારવારની સુવિધા મળી છે. સરકાર ઈ-રૂપી લાગુ કરવાની અને 2025 સુધીમાં હેલ્થકેર પર ખર્ચને જીડીપીના 2.5% સુધી વધારવાની યોજના ધરાવે છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા બાદ કહ્યું કે ઉત્તર પ્રદેશના દરેક જિલ્લાને 100 બેડના ક્રિટિકલ કેર બ્લોક (CCB) અને નિદાન પરીક્ષણો માટે અદ્યતન લેબોરેટરી મળશે.
યુપીની આરોગ્ય સુવિધાઓની પ્રશંસા કરતા મંત્રીએ કહ્યું કે કેન્દ્રએ સમગ્ર દેશમાં સીએમ આરોગ્ય સ્વાસ્થ્ય મેળાના ઉત્તર પ્રદેશ (યુપી) મૉડલની નકલ કરવાનો નિર્ણય કર્યો છે. "યુપીના દરેક જિલ્લાને 100-બેડનો આઈસીયુ યુનિટ (CCB) મળશે અને 75 જિલ્લાઓમાં જિલ્લા-સ્તરની હોસ્પિટલોમાં અદ્યતન લેબ બનાવવામાં આવશે. 515 બ્લૉકમાં જાહેર આરોગ્ય એકમો (PHU) ની સ્થાપના કરવામાં આવશે.
રાજ્યભરના પ્રાથમિક આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો પર દર રવિવારે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં અઢીથી ત્રણ લાખ ગરીબોને મફત સારવાર મળે છે. યુપીમાં, સીએમ આરોગ્ય મેળો અથવા આરોગ્ય મેળો એપ્રિલ 2020માં શરૂ થયો ત્યારથી 12 કરોડથી વધુ લોકોને સારવારની સુવિધાઓ પૂરી પાડી છે.
બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે અમે આ મોડલને આખા દેશમાં લાગુ કરીશું. યુપી સરકાર આરોગ્ય ક્ષેત્રે ઈ-રૂપીનો ઉપયોગ કરનાર પ્રથમ રાજ્ય સરકાર છે. અમે દેશભરમાં ઈ-રૂપી યોજના અમલમાં મુકીશું જેથી લાભાર્થીઓને સીધા જ પૈસા મળે.












Click it and Unblock the Notifications
