અમિત શાહ આજે યુપીના ભાજપનુ ઘોષણા પત્ર કરશે જાહેર, આજે સાંજે અટકી જશે પ્રચાર અભિયાન
ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનુ ઘોષણા પત્ર જાહેર કરશે.
લખનઉઃ ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનુ ઘોષણા પત્ર જાહેર કરશે. આજે સવારે લખનઉમાં અમિત શાહ પાર્ટીનુ ઘોષણા પત્ર જાહેર કરશે જેમાં પાર્ટી રાજ્ય માટે પોતાની યોજનાઓને લોકો સામે રાખશે. ભાજપે ઘોષણા પત્રને લોક કલ્યાણ સંકલ્પ પત્ર નામ આપ્યુ છે. નોંધનીય વાત એ છે કે લોક કલ્યાણ સંકલ્પ પત્રને પહેલા સોમવારે જાહેર કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ લતા મંગેશકરના નિધનના કારણે તેને ટાળી દેવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે યુપી વિધાનસભા ચૂંટણી માટે 10 ફેબ્રુઆરીએ પહેલા તબક્કાનુ મતદાન થવાનુ છે. તેના બે દિવસ પહેલા આજે ગૃહમંત્રી અમિત શાહ લખનઉમાં ભાજપનુ લોક કલ્યાણ સંકલ્પ પત્ર જાહેર કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પ્રદેશ ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, સહ પ્રભારી અનુરાગ ઠાકુર, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, ડૉ. દિનેશ શર્મા, સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષ સુરેશ ખન્ના સહિત અન્ય વરિષ્ઠ નેતા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ મંગળવારે સવારે 10.15 વાગે લખનઉના ઈંદીરા ગાંધી પ્રતિષ્ઠાનમાં થશે.
નોંધનીય છે કે વર્ષ 2017ની યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 312 વિધાનસભા સીટો પર જીત મેળવી હતી. પાર્ટીએ 403 સભ્યોની વિધાનસભા ચૂંટણીમાં 39.67 ટકા વોટ શેર મેળવ્યા હતા. વળી, સમાજવાદી પાર્ટી(સપા)ને 47 સીટો, બહુજન સમાજ પાર્ટી(બસપા)એ 19 સીટો જીતી જ્યારે કોંગ્રેસ માત્ર સાત સીટો પર જીત મેળવી શક્યુ હતુ. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા નિતિન ગડકરી આજે ગોવા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનુ ઘોષણાપત્ર જાહેર કરશે.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે આજે સાંજે પ્રચાર અભિયાન અટકી જશે. પહેલા તબક્કામાં રાજ્યના 11 જિલ્લાઓ શામલી, મેરઠ, મઝફ્ફરનગર, બાગપત, હાપુડ, ગૌતમબુદ્ધનગર, ગાઝિયાબાદ, બુલંદશહર, મથુરા, આગ્રા અને અલીગઢની કુલ 58 સીટો માટે 10 ફેબ્રુઆરીએ મતદાન થશે. યુપીમાં સાત તબક્કામાં 10, 14, 20, 23, 27 અને 3 અને 7 માર્ચે મતદાન થશે જ્યારે મતોની ગણતરી 10 માર્ચે થશે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
