યુપીના CM કોણ? 16 માર્ચના રોજ થશે જાહેરાત
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની રેસમાં કેશવ મૌર્યા, યોગી આદિત્યનાથ, મનોજ સિન્હા અને દિનેશ શર્માના નામ મોખરે છે.
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ માં પ્રચંડ બહુમતી સાથે જીત મેળવનાર ભાજપ હવે મુખ્યમંત્રી પદ માટે કોના પર પસંદગી ઉતારશે એ પ્રશ્ન બધે ચર્ચાઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રવિવારે દિલ્હીમાં રોડ શો કર્યા બાદ પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતા. ત્યાર બાદ પાર્ટીના કાર્યકર્તાઓની બેઠક યોજાઇ હતી, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સંસદીય બોર્ડની બેઠકમાં અનિલ જૈન તથા કૈલાશ વિજયવર્ગીયને યુપીના ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા.

બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, 16 માર્ચના રોજ ઉત્તર પ્રદેશ ભાજપના ધારાસભ્યોના દળની બેઠક યોજાશે અને એ જ બેઠકમાં ભાજપના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. જાણકારી અનુસારઆ બેઠક અમિત શાહના આવાસ ખાતે થઇ હતી, જેમાં વેંકૈયા નાયડૂ, રાજનાથ સિંહ, વિજય ગોયલ, મનોજ તિવારી, શ્યામલાલ વગેરે હાજર હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની રેસમાં કેશવ મૌર્યા, યોગી આદિત્યનાથ, મનોજ સિન્હા અને દિનેશ શર્માના નામ મોખરે છે.
હવે આમાંથી યુપીની મુખ્યમંત્રીની ખુરશી કોને મળશે એ તો 16 માર્ચના રોજ ખબર પડશે. ઉત્તર પ્રદેશની 404માંથી 325 બેઠકો ભાજપને મળી છે, જ્યારે ઉત્તરાખંડની 70માંથી 56 બેઠકો પર ભાજપને મળી છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
