ઉત્તરાખંડના પિથોરાગઢમાં વાદળ ફાટવાથી વિનાશ, 7 ઘર ધરાશાયી, 8 લોકો ગુમ
પિથોરાગઢઃ ઉત્તરાખંડના પિથોરાગઢમાં વાદળ ફાટવાથી વિનાશના સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ધારચૂલાના જુમ્મા ગામમાં વાદળ ફાટ્યુ છે જેના કારણે વિનાશ થઈ ગયો છે. ઘટનામાં 7 ઘર ધરાશાયી થઈ ગયા છે. 8 લોકો ગુમ જણાવવામાં આવી રહ્યા છે. એનડીઆરએફ અને પ્રશાસનની ટીમ બચાવ કાર્ય માટે ઘટના સ્થળે પહોંચી રહી છે.

વરસાદ, વાદળ ફાટવા અને ચટ્ટાનો પડવાથી બગડી સ્થિતિ
પહાડો પર હાલમાં મૂસળધાર વરસાદ સાથે વાદળ ફાટવા અને ચટ્ટાનો પડવાથી સ્થિતિ બગડી છે. બે દિવસ પહેલા પણ પિથોરાગઢમાં વાદળ ફાટ્યુ હતુ જેના કારણે પૂર આવ્યુ હતુ. આ દરમિયાન 3 લોકોના મોત થયા હતા. ટિહરીમાં વરસાદ દરમિયાન હાઈવેનો એક ભાગ વહી ગયો. ભારે વરસાદમાં નેશનલ હાઈવે નંબર 94 વહી ગયો.
નરેન્દ્રનગરમાં હાઈવેનો એક ભાગ વહી ગયો
ટિહરીમાં નરેન્દ્રનગર પાસે મૂસળધાર વરસાદના કારણે હાઈવેનો એક હિસ્સો વહી ગયો જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો. રસ્તાનો ભાગ પાણીના તેજ વહેણમાં ધરાશાયી થઈ ગયો.












Click it and Unblock the Notifications
