Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Uttarakhand Tunnel Rescue : ફસાયેલા તમામ મજુરોને 1 લાખની સહાય અપાશે

ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા તમામ 41 મજુરોને સફળતાપુર્વક બચાવી લેવાયા છે. રેસ્ક્યુ ઓપરેશન પુરૂ થયા બાદ સરકારે 1 લાખની સહાયની જાહેરાત કરાઈ છે.

સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે. સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ કામદારોને સરકાર 1 લાખની આર્થિક મદદ કરશે. આ માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઘરે જવા સુધી હોસ્પિટલમાં સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે.

Uttarakhand Tunnel Rescue

મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, સુરંગમાં ફસાયેલા તમામ કામદારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. આ સિવાય સરકાર પરિવારના સભ્યો અને કામદારો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરી રહી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, શ્રમિકો સ્વસ્થ થયા બાદ સરકાર દ્વારા 1 લાખ રૂપિયાના ચેક આર્થિક સહાય તરીકે આપવામાં આવશે. આ ઉપરાંત ઘરે જવાનો સંપૂર્ણ ખર્ચ પણ સરકાર ઉઠાવશે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, બાબા બોખનાગ અને દેવભૂમિના દેવી-દેવતાઓની કૃપાથી ઓપરેશન સફળ થયું છે. સિલ્કિયારામાં બોખનાગ દેવતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. આ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે બાબા બોખનાગના આશીર્વાદથી તમામ કામદારો સુરક્ષિત રીતે બહાર આવી ગયા છે. બાબા બોખનાગનું મંદિર બનાવવાની માંગ ગ્રામજનોએ ઉઠાવી છે. સરકાર આ માંગ પૂરી કરશે. આ માટે અધિકારીઓને મંદિરનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X