ઉત્તરકાશીની સુરંગમાં ફસાયા 41 મજૂરોના જીવ, 10માં દિવસે પણ રેસ્ક્યુ ઑપરેશન ચાલુ, પાઈપથી મોકલાઈ ખિચડી
Uttarkashi tunnel collapse News Update: ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 10 દિવસથી 41 મજૂરોના જીવ ફસાયેલા છે. આજે 21 નવેમ્બરે 10માં દિવસે પણ બચાવકાર્ય ચાલુ છે. તમામ કામદારોના જીવ બચાવવા માટે ઘણી એજન્સીઓ કાર્યરત છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે. 2 કિલોમીટર લાંબી ટનલમાં ફસાયેલા 41 મજૂરોનું મનોબળ જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, બચાવકાર્યમાં વિલંબ પર હવે કોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

બચાવ કામગીરીના નવમા દિવસે, સોમવારે બચાવકર્મીઓએ તૂટી પડેલા વિભાગના કાટમાળમાંથી છ ઇંચ પહોળી પાઇપલાઇન નાખીને 'બ્રેકથ્રુ' હાંસલ કર્યું હતું. આ પાઇપ દ્વારા પ્રથમ વખત ખીચડી મજૂરોને ખોરાક તરીકે મોકલવામાં આવી છે.
6 ઈંચની પાઈપમાં ફસાયેલા મજૂરો માટે પ્રથમ વખત ગરમ ખીચડી મોકલવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 12 નવેમ્બરે ઉત્તરકાશીના સિલ્ક્યારાથી બરકોટ સુધીની એક નિર્માણાધીન ટનલ 60 મીટરના અંતરે પડેલા કાટમાળને કારણે તૂટી પડી હતી, જેમાં 41 મજૂરો ફસાઈ ગયા હતા.
સરકારના જણાવ્યા અનુસાર, કામદારો ટનલના 2 કિલોમીટરના વિસ્તારમાં ફસાયેલા છે. તાજેતરની અપડેટ મુજબ, ટનલનો 2 કિમીનો પટ કોંક્રીટ વર્ક સહિત પૂર્ણ થઈ ગયો છે, જેની વચ્ચે કામદારો પહેલા કરતા વધુ સુરક્ષિત છે.
ટનલના ભાગમાં વીજળી અને પાણી ઉપલબ્ધ છે અને કામદારોને 4 ઇંચની કોમ્પ્રેસર પાઇપલાઇન દ્વારા ખોરાક અને દવાઓ પૂરી પાડવામાં આવે છે. સોમવારની સફળતા પછી, ભવિષ્યમાં ઓગુર બોરિંગ મશીન દ્વારા કામદારોની સલામતી માટે સિલ્ક્યારા છેડેથી નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL) દ્વારા હોરીઝોન્ટલ બોરિંગની ભલામણ કરવામાં આવશે.
કામદારોને બચાવવાના શું થઈ રહ્યુ છે?
વર્ટિકલ રેસ્ક્યુ ટનલના નિર્માણ માટે SJVNLનું પ્રથમ મશીન ટનલ સાઇટ પર પહોંચી ગયું છે અને BRO દ્વારા એપ્રોચ રોડનું કામ પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.
ઊભી ટનલ બાંધકામ માટે અન્ય બે મશીનોની મુવમેન્ટ ગુજરાત અને ઓડિશાથી રોડ મારફતે આવી રહી છે. THDC દ્વારા બારકોટ છેડેથી 480 મીટરની રેસ્ક્યુ ટનલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
કામદારોની સલામતી માટે, RVNL દ્વારા નાસિક અને દિલ્હીથી આડી ડ્રિલિંગ દ્વારા માઇક્રો-ટનલિંગ માટેની મશીનરીનું પરિવહન કરવામાં આવી રહ્યું છે.
વર્ટિકલ બોરિંગ માટે ઓએનજીસી દ્વારા યુએસએ, મુંબઈ અને ગાઝિયાબાદમાંથી મશીનરી મંગાવવામાં આવી રહી છે.
RVNL અને SJVNLના વર્ટિકલ ડ્રિલિંગ માટે એપ્રોચ રોડ 48 કલાકમાં બનાવવામાં આવ્યો ત્યારે BRO એ પ્રશંસનીય કામ કર્યું છે. આ ઉપરાંત હવે ઓએનજીસી માટે પણ એપ્રોચ રોડનું કામ ચાલી રહ્યું છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
