ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા 40 મજૂરોને બહાર કાઢવાનુ અભિયાન યથાવત, અંદર મોકલાઈ રહ્યો છે ઑક્સિજન
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્કૈરા ટનલમાં ફસાયેલા 40 મજૂરોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે સુરંગની અંદર ફસાયેલા કામદારો સુરક્ષિત છે, તેમની સાથે સંપર્ક કરવામાં આવ્યો છે.
ટનલમાં પાઈપલાઈન દ્વારા ઓક્સિજનનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. પાણી માટે ટનલમાં જે પાઇપ નાખવામાં આવી છે તેના દ્વારા ઓક્સિજન મોકલવામાં આવી રહ્યો છે. આ પાઈપ દ્વારા અંદર ફસાયેલા કામદારોને ખાવાની વસ્તુઓ પણ મોકલવામાં આવી રહી છે. દરમિયાન હેવી એક્સેવેટર મશીનની મદદથી કાટમાળ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે સુરંગની અંદર લગભગ 40 મજૂરો ફસાયેલા છે. સિલ્ક્યારા અને દાંડલગાંવ વચ્ચેની ટનલનો એક નિર્માણાધીન ભાગ રવિવારે સવારે તૂટી પડ્યો હતો, જેમાં 40થી વધુ કામદારો ટનલની અંદર ફસાઈ ગયા હતા.
રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. ઉત્તરકાશીના એસપી અર્પણ યદુવંશીએ જણાવ્યું હતું કે ઘટના બાદ તરત જ ઘટનાસ્થળે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ ઉત્તરકાશીના ડીએમ રુહેલા સાથે વાત કરી છે અને આ ઘટના પછી સ્થિતિ વિશે પૂછપરછ કરી છે. તેમજ, તેઓને આ બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે કહેવામાં આવ્યું છે.
ધામીએ ફેસબુક પોસ્ટ પર લખ્યું, હું સ્થળ પરના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું, હું સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. મેં રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. હું પ્રાર્થના કરું છું કે દરેક સુરક્ષિત રહે.
ઉત્તરાખંડ પોલીસ તરફથી મળેલી માહિતી અનુસાર, સુરંગમાં કાટમાળ હટાવવાનું કામ સતત ચાલી રહ્યું છે. રેસ્ક્યુ હેલ્પલાઈન નંબર 7455991223 જાહેર કરવામાં આવ્યો છે.
ઉત્તરાખંડ પોલીસે કહ્યું છે કે ટનલની અંદર ફસાયેલા કામદારોનો વાયરલેસ વોકી-ટોકી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે, માહિતી મળી છે કે દરેક સુરક્ષિત છે, કોમ્પ્રેસર દ્વારા કામદારો માટે કેટલાક ફૂડ પેકેટ અંદર મોકલવામાં આવ્યા છે. ટનલમાં પાણીની પાઇપો દ્વારા સતત ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. જેના કારણે હાલ વહીવટીતંત્ર તરફથી દરેક માટે રાહતના સમાચાર છે. પોતાના પ્રિયજનોની રાહ જોઈ રહેલા પરિવારજનોને પણ રાહતના સમાચાર મળ્યા છે.
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ નિર્માણાધીન ટનલમાં 24 કલાક કામ ચાલી રહ્યું છે. ટનલની અંદર લગભગ અઢી કિલોમીટર સુધી કામ ચાલી રહ્યું છે. અકસ્માત પહેલા નાઇટ શિફ્ટ કામદારો ટનલમાંથી બહાર આવી રહ્યા હતા અને ડે શિફ્ટ કામદારો ટનલની અંદર જઈ રહ્યા હતા. ત્યારબાદ સુરંગના મુખમાંથી 300 મીટર અંદર માટી પડવા લાગી. ટનલનો અંદાજે 30 મીટરનો ભાગ માટીથી ઢંકાયેલો છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
