ઉત્તરાખંડ : નદી કિનારે બાંધકામ પર પ્રતિબંધ લાદવા કાયદો

ઉત્તરાખંડના મુખ્ય સચિવ સુભાષ કુમારનું કહેવું છે કે આ માટે ટૂંક સમયમાં કાયદો બનાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજય બહુગુણા પણ આ વાત કહી ચૂક્યા છે. તેમણે અમ પણ જણાવ્યું છે કે હવે જો આ પ્રકારનું બાંધકામ જોવા મળ્યું તો તેના માટે સરકારી અધિકારીને જ દોષિત ગણવામાં આવશે.
હોનારતને પગલે સરકારને નદી કિનારે બાંધકામ પર પ્રતિબંધ મુકવા માટે કાયદો બનાવવાનો નિર્ણય તો લઇ લીધો છે પણ એ અંગે કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે વર્તમાનમાં જે બાંધકામો છે તેની સામે પગલાં લેવા કે નહીં અને લેવા તો કેવા પ્રકારના પગલાં લેવા. આ બાંધકામો તોડવામાં આવશે કે કાયદો હવે પછી નિર્માણ પામનારા બાંધકામ પૂરતો જ હશે.
આ ઉપરાંત માનવ અધિકાર પંચે પણ ઉત્તરાખંડ સરકારને સૂચના આપી છે કે રાજ્યમાં જે પણ યાત્રીઓ આવે તેમની નોંધણી ફરજિયાત બનાવવી. કારણ કે તેમની સંખ્યાનો ખ્યાલ આવી શકતો નથી.












Click it and Unblock the Notifications
