For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભડકાઉ ભાષણ મામલે વરૂણ ગાંધીને કોર્ટે આપી રાહત

|
Google Oneindia Gujarati News

varun gandhi
પીલીભીત, 27 ફેબ્રુઆરી: ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરૂણ ગાંધી માટે આજનો દિવસ સારો રહ્યો કારણ કે તેમને આજે પીલીભીત કોર્ટે ભડકાઉ ભાષણ મામલે રાહત આપી દીધી છે. કોર્ટે તેમને એક કેસમાં છોડી મૂક્યા છે.

7 માર્ચ 2009ના રોજ વરૂણ ગાંધીએ એક ચૂંટણી સભાને સંબોધી હતી, આ સભાને સંબોધ્યા બાદ તેમની પર ભડકાઉ ભાષણ કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ રાજકિય ઘમાસણ શરૂ થઇ ગયું હતું. જાણકારી અનુસાર વરુણના ભાષણની સામે કોઇ સાક્ષી નહી મળવાના કારણે કોર્ટે તેમને બા ઇજ્જત છોડવાનો નિર્ણય કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે વરૂણ ગાંધી પર ડાલચંદમાં ભડકાઉ ભાષણ કરવાનો આરોપ હતો. મામલો નોંધાયા બાદ તેમની રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તેમને જામિન પર છોડી મૂકાયા હતા.

English summary
Varun Gandhi got relief from Pilibhit court in Hate speech case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X