ભડકાઉ ભાષણ મામલે વરૂણ ગાંધીને કોર્ટે આપી રાહત

7 માર્ચ 2009ના રોજ વરૂણ ગાંધીએ એક ચૂંટણી સભાને સંબોધી હતી, આ સભાને સંબોધ્યા બાદ તેમની પર ભડકાઉ ભાષણ કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ રાજકિય ઘમાસણ શરૂ થઇ ગયું હતું. જાણકારી અનુસાર વરુણના ભાષણની સામે કોઇ સાક્ષી નહી મળવાના કારણે કોર્ટે તેમને બા ઇજ્જત છોડવાનો નિર્ણય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે વરૂણ ગાંધી પર ડાલચંદમાં ભડકાઉ ભાષણ કરવાનો આરોપ હતો. મામલો નોંધાયા બાદ તેમની રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તેમને જામિન પર છોડી મૂકાયા હતા.












Click it and Unblock the Notifications
