ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ ખોલ્યો રાઝ, મમતા દીદી વિશે જણાવી આ ચોંકાવનારી વાત
ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ પોતાની જિંદગીના ઘણા પાસાઓ વિશે ખુલીને વાત કરી છે અને આ દરમિયાન તેમણે પોતાના વિપક્ષી દળો વિશે પણ એક ચોંકાવનારી વાત કહી છે.
હિંદી સિનેમાના સુપર સ્ટાર અક્ષય કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ લીધો જેનું પ્રસારણ બુધવારે સવારે 9 વાગે ટીવી ચેનલો પર ANIની મદદથી થયુ. આ પહેલી વાર છે જ્યારે પીએમ મોદીનો ઈન્ટરવ્યુ કોઈ પત્રકારે નહિ પરંતુ ફિલ્મ અભિનેતાએ લીધો છે. આ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ પોતાની જિંદગીના ઘણા પાસાઓ વિશે ખુલીને વાત કરી છે અને આ દરમિયાન તેમણે પોતાના વિપક્ષી દળો વિશે પણ એક ચોંકાવનારી વાત કહી છે જેને સાંભળીને કદાચ લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ બની જશે.

ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ ખોલ્યો રાઝ
એક સવાલના જવાબમાં પીએમ મોદીએ પોતાના અને વિપક્ષી દળોના સંબંધો વિશે જણાવ્યુ, મોદીએ કહ્યુ કે ભલે અમે રાજકીય પટલ પર એકબીજાના વિરોધી હોય અને નિવેદનો આપીએ પરંતુ વર્ષમાં એક-બે વાર અમે બધા મળીને એક સાથે ભોજન પણ લઈએ છીએ, વિપક્ષના લોકો માટે મારા મનમાં કોઈ કડવાશ નથી. ના તો હું એવુ વિચારુ છુ કે કોઈના પણ મનમાં હશે જો કે આ મારુ વ્યક્તિગત મંતવ્ય છે.
|
‘મમતા દીદીએ મને કૂર્તા મોકલ્યા છે અને મિઠાઈ પણ'
પીએમ મોદીએ સૌથી ચોંકાવનારી વાત પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી વિશે કહી. તેમણે કહ્યુ કે તમને જાણીને નવાઈ લાગશે અને કદાચ આ વાતથી મને ચૂંટણીમાં પણ નુકશાન થાય પરંતુ આ સાચુ છે એટલા માટે બતાવવા ઈચ્છુ છુ, વાસ્તવમાં મમતા દીદી વર્ષમાં આજે પણ મારા માટે એક-બે કૂર્તા મોકલે ચે, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાપણ વર્ષમાં 3-4 વાર ખાસ ઢાકાની મિઠાઈ મોકલે છે. જ્યારે મમતા દીદીને આ ખબર પડી તો તે પણ વર્ષમાં એક-બે વાર મારા માટે મિઠાઈ જરૂર મોકલે છે.
|
પીએમ આ વાત કહીને પોતે પણ હસવા લાગ્યા...
પીએમ આ વાત કહીને પોતે પણ હસવા લાગ્યા, તમને જણાવી દઈએ કે હાલમાં ચૂંટણી માહોલમાં મમતા બેનર્જી સતત પીએમ મોદી પર જવાબી હુમલા કરી રહ્યા છે તો વળી ભાજપ તરફથી પણ તેમને તગડા જવાબ આપવામાં આવી રહ્યા છે. એ સ્થિતિમાં પીએમ મોદીનું મમતા બેનર્જી વિશે આ જણાવવુ ખરેખર નવાઈની વાત છે.

ક્યારેય મારા મનમાં પ્રધાનમંત્રી બનવાનો વિચાર નથી આવ્યોઃ પીએમ મોદી
ઈન્ટરવ્યુ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે મારા માટે ક્યારેક કોઈ કહેશે કે મને ગુસ્સો આવે છે તો આ એક મોટી નવાઈની વાત હશે, નારાજગી અને ગુસ્સો આ બધુ જીવનનો હિસ્સો છે. હું કડક છુ, અનુશાસિત છુ પરંતુ ક્યારેય કોઈને નીચુ બતાવવાનું કામ નથી કરતો. ક્યારેય મારા મનમાં પ્રધાનમંત્રી બનવાનો વિચાર નથી આવ્યો અને સામાન્ય લોકોના મનમાં આ વિચાર આવતો પણ નથી અને મારુ જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે તેમાં મને કોઈ નાની નોકરી મળી જતી તો મારી મા આખા ગામને ગોળ ખવડાવી દેત.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
