Video: મારા પપ્પાને ગદ્દારોએ માર્યા, સંભાળીશ કરણી સેના..., સુખદેવ સિંહની દીકરીએ દુશ્મનોને લલકાર્યા
Sukhdev Singh Gogameri daughter Urvashi: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહની હત્યા બાદ લોકોમાં ભારે રોષ છે, ઘણી જગ્યાએ ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે, લોકો વહેલી તકે હત્યારાઓની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
7 ડિસેમ્બરના રોજ, રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ગોગામેડી ગામમાં સુખદેવના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યાં ભારે ભીડ જોવા મળી હતી. અંતિમ સંસ્કાર પહેલા સુખદેવ સિંહ ગોગામેડીની પુત્રી ઉર્વશીએ મીડિયા સાથે વાત કરતા જે કહ્યું તે દરેકના હ્રદય કંપાવનારુ છે.

ઉર્વશીએ કહ્યું, 'આજે દરેક જગ્યાએ પોલીસ છે પરંતુ જ્યારે મારા પિતાને ધમકી આપવામાં આવી રહી હતી ત્યારે આ લોકો ક્યાં હતા, તેમને પાકિસ્તાન તરફથી ધમકીઓ મળી હતી, પંજાબ પોલીસે આ અંગે રાજસ્થાન પોલીસ સાથે પણ વાત કરી હતી. મારા પિતાએ પોલીસ અને વહીવટીતંત્રને મદદ માટે અપીલ કરી હતી પરંતુ વહીવટીતંત્ર તેની પરવા પણ કરતું નથી. આજે મારા પિતા જતા રહ્યા પછી આટલી સુરક્ષા આપવાનો કોઈ ફાયદો નથી.
ઉર્વશીએ કહ્યું કે, 'કેટલાક દેશદ્રોહીઓએ મારા પિતાને ગોળી મારી દીધી પરંતુ તેઓ એ ન વિચારે કે અમે ચૂપ બેસી જઈશુ, ડરી જઈશુ. સૂરમાઓ ક્યારેય મરતા નથી, મારા પિતા અમર થઈ ગયા છે અને હું પણ તેમનું લોહી છું, હું હંમેશા મારા પરિવાર માટે ઉભી રહીશ, મારા પિતાની જેમ હું કરણી સેનાને સંભાળીશ અને જો સાથ મળશે તો હું રાજકારણમાં પણ આવીશ, અમને નબળા ગણવાની ભૂલ ના કરતા.'
તમને જણાવી દઈએ કે ઉર્વશી પહેલા તેની માતા અને સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની શીલા શેખાવતે પ્રદર્શનકારીઓને સંબોધતા કહ્યું હતું કે, 'ભાઈઓ, તમે કલ્પના પણ નહીં કરી શકો કે મારા પર શું વીતી રહી છે, પરંતુ મારા પતિ અને તમારા ભૈયા હંમેશા કહેતા હતા કે મેં દરેક ઘરમાં સુખદેવસિંહ ગોગામેડી પેદા કર્યા છે, તેથી ભાઈઓ, આજે આ બહેનને દરેકના સાથની જરૂર છે, જ્યાં સુધી આરોપીઓને પકડીને આપણી સમક્ષ લાવવામાં ન આવે ત્યાં સુધી આપણે અહીંથી ખસવાનું નથી.
તમને જણાવી દઈએ કે 5 ડિસેમ્બર 2023ના રોજ બપોરે 1.30 વાગ્યે રોહિત રાઠોડ અને નીતિન ફૌજી નામના બદમાશોએ જયપુરના ઘરમાં ઘૂસીને સુખદેવ સિંહની ગોળી મારી હત્યા કરી હતી. સુખદેવની હત્યાના વિરોધમાં રાજપૂત સમાજના લોકો જયપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને હત્યારાઓની ધરપકડની માંગ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે 7 ડિસેમ્બરે ગોગામેડીમાં સાંજે 5.30 વાગ્યે સુખદેવ સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના ત્રણ પિતરાઈ ભાઈઓએ અંતિમ સંસ્કાર કર્યા. હાલ પોલીસ હત્યાના આરોપી મકરાણાના રહેવાસી રોહિત રાઠોડ અને હરિયાણાના મહેન્દ્રગઢના રહેવાસી નીતિન ફૌજીને શોધી રહી છે. બંને પર 5 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
