બેંકો મને ચોર સાબિત કરવા માટે કામ કરી રહી છે: વિજય માલ્યા
દેશની ઘણી બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બેંકો પર પ્રહાર કર્યો છે.
દેશની ઘણી બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બેંકો પર પ્રહાર કર્યો છે. વિજય માલ્યાએ આરોપ લગાવ્યો છે કે તેને ચોર સાબિત કરવા માટે કેટલા બધા પ્રત્યનો કરવામાં આવી રહ્યા છે. એવું સાબિત કરવાંની કોશિશ કરવામાં આવી રહી છે કે હું બેંકોના પૈસા લઈને ભાગી ગયો છું. બેન્કોએ મારી પાસેથી ઘણી વધારે રિકવરી કરી છે, મારા સેટલમેન્ટમાં આ બધી જ જાણકારી છે. બેંક ગમે તે કહે પરંતુ તે ખોટું જ હશે, મારી સાથે આવો જ વર્તાવ કરવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે વિજય માલ્યા વિશે ઇડીએ ગઈ કાલે જાણકારી આપી હતી કે વિજય માલ્યા ની યુનાઇટેડ બ્રુઅરીઝ હોલ્ડિંગ લિમિટેડના શેર વેચીને 1008 કરોડ રૂપિયા મળ્યા છે. ત્યારપછી વિજય માલ્યા ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે મને હજુ પણ ચોર જણાવવાની કોસિસ થઇ રહી છે. પરંતુ હકીકત છે કે તમે ગમે તે કહેશો પરંતુ તમને જ ખોટા ગણાવવામાં આવશે. ઇડીએ વિજય માલ્યા સામે ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસ મામલે તેના શેર જપ્ત કર્યા હતા.
આ પણ વાંચો: વિજય માલ્યાએ કર્યું ટ્વીટ, પીએમ બેંકોને કેમ નથી કહેતા કે મારી પાસેથી પૈસા લઈ લે
આપને જણાવી દઈએ કે આ પહેલા મેહુલ ચોક્સીએ પણ પોતાને નિર્દોષ ગણાવતા કહ્યું હતું કે બેન્ક મને ખોટી રીતે ફસાવી રહી છે. તેને કહ્યું હતું કે પંજાબ નેશનલ બેંક જાણીજોઈને તેના વિરુદ્ધ ખોટો કેસ તૈયાર કરી રહી છે. તેને કહ્યું કે પીએનબી ઘોટાળા મામલે જે પણ કંપનીઓ સામે તપાસ ચાલી રહી છે, તેમાંથી એક પણ કંપનીમાં તેની ભાગીદારી નથી. તેઓ વર્ષ 2000 દરમિયાન તે બધી જ કંપનીમાંથી અલગ થઇ ચુક્યા છે. મેહુલ ચોક્સીના વકીલ ઘ્વારા આપવામાં આવેલા નિવેદનમાં તેને જણાવ્યું કે મેહુલ ચોક્સીના જે ઠેકાણે છાપા મારવામાં આવ્યા છે. તે જુના દસ્તાવેજોને આધારે કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: જેટ એરવેઝને બચાવવા માટે બેંકોની મદદ પર ભડક્યા વિજય માલ્યા, કહી મોટી વાત
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
