જેટ એરવેઝને બચાવવા માટે બેંકોની મદદ પર ભડક્યા વિજય માલ્યા, કહી મોટી વાત
જેટ એરવેઝને બચાવવા માટે બેંકોની મદદ પર ભડક્યા માલ્યા
નવી દિલ્હીઃ સોમવારે કેન્દ્ર સરકારે નાદાર થઈ રહેલ જેટ એરવેઝને લઈ ઘોષણા કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે એરલાઈનને બચાવવા માટે બેંક 1500 કરોડ રૂપિયા આપશે. ભારતીય બેંકોના પૈસા લઈ વિદેશ ભાગી જનાર વેપારી વિજય માલ્યા આ ઘોષણાથી ગુસ્સે થઈ ગયા. તેમણે ખરાબ સમયે સાથ ન આપવા બદલ મોદી સરકાર પર પ્રહાર કર્યો. કેટલાય અલગ-અલગ ટ્વીટમાં માલ્યાએ જણાવ્યું કે કિંગફિશરને બચાવવા માટે તેમના રોકાણને નજરઅંદાજ કરી વારંવાર કોઈપણ વાત વિના તેમની આલોચના કરવામાં આવી રહી છે. આ એજ પીએસયૂ બેંક છે જેમણે શ્રેષ્ઠ કર્મચારીઓવાળી સૌથી સારી એરલાઈનને ડૂબવા દીધી. તેમણે કેન્દ્રની રાજગ સરકારને ડબલ સ્ટેન્ડર્ડ કરાર આપી છે.
|
શું બોલ્યા વિજય માલ્યા
જેટ એરવેઝની મદદ કરવાની વાત પર કપાયમાન વિજય માલ્યાએ ટ્વીટ કર્યું કે ભાજપ પ્રવક્તાએ પીએમ મનમોહન સિંહને મારા પત્રો વાંચીને સંભળાવ્યા અને આરોપ લગાવ્યો કે યૂપીએ સરકાર અંતર્ગત પીએસયૂ બેંકોએ કિંગફિશર એરલાઈનને ખોટું સમર્થન કર્યું હતું. મીડિયાએ મને વર્તમાન પીએમને પત્ર લખવા માટે ઉકસાવ્યો. મને આશ્ચર્ય છે કે એનડીએ સરકાર અંતર્ગત હવે શું બદલાઈ ગયું છે. આગલા ટ્વીટમાં માલ્યા લખે છે કે કિંગફિશરને બચાવવા માટે મારા 4000 કરોડના રોકાણને નજરઅંદાજ કરી વારંવાર કોઈપણ વાત વિના આલોચના કરવામાં આવી રહી છે. આ એજ પીએસયૂ બેંક છે જેણે કિંગફિશરને ડૂબવા દીધી.
|
મારા પૈસા લો અને બચાવી લો જેટ એરવેઝ
આગલા ટ્વીટમાં માલ્યા લખે છે કે હું ફરી કહું છું કે મેં કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ મારી તરલ સંપત્તી રાખી હતી જેનાથી પીએસયૂ બેંકો અને અન્ય લેણદારોનો હિસાબ ચૂકતે કરી શકાય. બેંક મારા પૈસા લઈજેટ એરવેઝને કેમ નથી બચાવી લેતી.

નાદાર થવાની કગાર પર છે જેટ એરવેઝ
નાદાર થવાની કગાર પર પહોંચેલ જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલે પોતાની પત્ની અનીતા ગોયલે સોમવારે પોતાના પદથી રાજીનામું આપી દીધું. આ ઉપરાંત એતિહાદ એરવેઝના એક નોમિનીએ પણ બોર્ડથી રાજીનામું આપી દીધું છે. જે બાદ નરેશ ગોયલે પોતાના કર્મચારીઓને નામ એક પત્ર લખી કહ્યું કે તેઓ કોઈપણ બલિદાન માટે તૈયાર છે. માનવામાં આવી રહ્યું છે કે એરલાઈનને ડૂબવાથી રોકવા માટે આ સ્વામિત્વ પરિવર્તન યોજનાનો ભાગ છે. જે બાદ સરકારની એક ઘોષણામાં કહેવામાં આવ્યું કે એરલાઈનને બચાવવા માટે બેંક 1500 કરોડ રૂપિયા આપશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
