વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરાયા!
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં અનિલ બૈજલે અંગત કારણોસર દિલ્હીના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
નવી દિલ્હી, 23 મે : ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં અનિલ બૈજલે અંગત કારણોસર દિલ્હીના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ કેન્દ્ર સરકારે વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે.

સોમવારે રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, વિનય કુમાર સક્સેના જે દિવસે પદ સંભાળશે તે દિવસથી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર રહેશે. વિનય કુમાર સક્સેના હાલમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) ના અધ્યક્ષ છે.
અહીં તમને જણાવી દઈએ કે દિલ્હીમાં ઉપરાજ્યપાલ અને દિલ્હી સરકાર વચ્ચે સતત તકરાર ચાલતી રહે છે. કેન્દ્ર સરકાર પર આપ સરકારના કામમાં રોડા નાંખવા માટે ઉપરાજ્યપાલને હથિયાર બનાવે છે.












Click it and Unblock the Notifications
