Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિનેશ ફોગાટે કર્તવ્ય પથ પર ખેલ રત્ન છોડી દીધો, પોલીસે રોકતા પગલુ ભર્યુ

નરેન્દ્ર મોદી સરકારમાં શારીરિક શોષણ કરનારાઓને ખુલ્લી છુટ છે ત્યારે પહેલવાનોએ મોરચો ખોલ્યો છે. આ ક્રમમાં વિનેશ ફોગાટે વિરોધ દર્શાવતા પોતાનો ખેલ રત્ન એવોર્ડ કર્તવ્ય પથ પર જ છોડી દીધો હતો.

પહેલવાનોના વિરોધ વચ્ચે વિનેશ ફોગટે હાલમાં જ પોતાનો ખેલ રત્ન પરત કરવાની જાહેરાત કરી હતી અને આજે તે તેને પરત કરવા માટે વડાપ્રધાન કાર્યાલય જઈ રહી હતી.

Vinesh Phogat

આ દરમિયાન પોલીસે તેને અટકાવતા આકરૂ પગલુ ભર્યુ. ફોગાટે કર્તવ્ય પથ પર જ પોતાનો એવોર્ડ છોડી દીધો. આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

વિનેશ ફોગાટ તેનો અર્જુન એવોર્ડ પરત કરવા જઈ રહી હતી પરંતુ પોલીસે તેને અટકાવી. આ પછી તેણે પોતાનો એવોર્ડ ત્યાં જ છોડી દીધો. આ પહેલા બજરંગ પુનિયાએ પણ પોતાનું પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી હતી.

જણાવી દઈએ કે, સરકારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું વિસર્જન કર્યું છે. નવા પ્રમુખ સંજય સિંહે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રેસલર હવે રાજનીતિ કરી રહ્યા છે. બજરંગ પુનિયા અને રાહુલ ગાંધી વચ્ચેની મુલાકાત બાદ તેમણે પહેલવાનો પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો.

રેસલિંગ ફેડરેશનનું કામ જોવા માટે સરકારે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. ભૂપિન્દર સિંહ બાજવાને તેના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ભૂતપૂર્વ હોકી ઓલિમ્પિયન એમએસ સોમાયા અને આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ખેલાડી મંજુષા કંવરને પણ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X