વિનેશ ફોગાટે કર્તવ્ય પથ પર ખેલ રત્ન છોડી દીધો, પોલીસે રોકતા પગલુ ભર્યુ
નરેન્દ્ર મોદી સરકારમાં શારીરિક શોષણ કરનારાઓને ખુલ્લી છુટ છે ત્યારે પહેલવાનોએ મોરચો ખોલ્યો છે. આ ક્રમમાં વિનેશ ફોગાટે વિરોધ દર્શાવતા પોતાનો ખેલ રત્ન એવોર્ડ કર્તવ્ય પથ પર જ છોડી દીધો હતો.
પહેલવાનોના વિરોધ વચ્ચે વિનેશ ફોગટે હાલમાં જ પોતાનો ખેલ રત્ન પરત કરવાની જાહેરાત કરી હતી અને આજે તે તેને પરત કરવા માટે વડાપ્રધાન કાર્યાલય જઈ રહી હતી.

આ દરમિયાન પોલીસે તેને અટકાવતા આકરૂ પગલુ ભર્યુ. ફોગાટે કર્તવ્ય પથ પર જ પોતાનો એવોર્ડ છોડી દીધો. આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
વિનેશ ફોગાટ તેનો અર્જુન એવોર્ડ પરત કરવા જઈ રહી હતી પરંતુ પોલીસે તેને અટકાવી. આ પછી તેણે પોતાનો એવોર્ડ ત્યાં જ છોડી દીધો. આ પહેલા બજરંગ પુનિયાએ પણ પોતાનું પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી હતી.
જણાવી દઈએ કે, સરકારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું વિસર્જન કર્યું છે. નવા પ્રમુખ સંજય સિંહે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રેસલર હવે રાજનીતિ કરી રહ્યા છે. બજરંગ પુનિયા અને રાહુલ ગાંધી વચ્ચેની મુલાકાત બાદ તેમણે પહેલવાનો પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો.
. @Phogat_Vinesh ने कर्तव्य पथ पर प्रधानमंत्री कार्यालय के नज़दीक रखा अपना अर्जुन अवार्ड और खेल रत्न .. वो ये अवार्ड वापस करने की घोषणा पहले ही कर चुकी हैं ।@TheRedMike pic.twitter.com/KH8jL1vDqV
— The Red Mike (@TheRedMike) December 30, 2023
રેસલિંગ ફેડરેશનનું કામ જોવા માટે સરકારે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. ભૂપિન્દર સિંહ બાજવાને તેના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ભૂતપૂર્વ હોકી ઓલિમ્પિયન એમએસ સોમાયા અને આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ખેલાડી મંજુષા કંવરને પણ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
