Manipur Violence: મણિપુરમાં ફરી ભડકી હિંસા, શંકાસ્પદ ઉગ્રવાદીઓના ગોળીબારમાં 3ના મોત, 2 ઘાયલ

મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. શુક્રવારે ખોકેન ગામમાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક મહિલા સહિત ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે.

આતંકવાદીઓના હુમલામાં અન્ય બે ઘાયલ થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખોકેન ગામ કાંગપોકપી અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાની સરહદ પર આવેલું છે. શંકાસ્પદ આતંકવાદીઓ અને પીડિતો અલગ-અલગ સમુદાયના હતા.

Manipur Violance

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ સેનાનો યુનિફોર્મ પહેર્યો હતો. તે જ સમયે, હુમલાખોરો સેના દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનો જેવા જ એક વાહનમાં આવ્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો.

ધી ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર ફોરમ (આઈટીએલએફ) એ ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. કહ્યું કે આ ઘટના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી શાંતિ પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. અમે સત્તાધીશોને બળવાખોરો સામે પગલાં લેવાની માંગ કરીએ છીએ.

તમને જણાવી દઈએ કે મણિપુરમાં 3 મેના રોજ બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. જેમાં 100 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. હિંસાની ચિનગારી લગભગ એક મહિના સુધી જલતી રહી.

આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિંસા શાંત કરવા રાજ્યની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શાંતિની અપીલ કરી હતી. તેમજ વિરોધીઓને આત્મસમર્પણ કરવા આગ્રહ કર્યો હતો.

હકીકતમાં, રાજ્યમાં અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની મેઇતેઈ સમુદાયની માંગનો સતત વિરોધ થઈ રહ્યો છે. જો કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શાંતિની અપીલ કર્યા પછી, મામલો થોડા દિવસો માટે કોલ્ડ સ્ટોરેજમાં ગયો. પરંતુ, ફરી એકવાર આગ ભભૂકી ઉઠી હોય તેવું લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં 'આદિવાસી એકતા માર્ચ'નું આયોજન કર્યા બાદ હિંસા શરૂ થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X