રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન પૂર્ણ, ક્રોસ વોટીંગ થયુ, 21 જુલાઇએ પરિણામ
દેશના તમામ રાજ્યોની સંસદ અને વિધાનસભાઓમાં સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં એનડીએ ગઠબંધને આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે યશવંત સિંહા વિપક્ષના સંયુક્ત ઉમેદવાર હતા. મ
દેશના તમામ રાજ્યોની સંસદ અને વિધાનસભાઓમાં સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં એનડીએ ગઠબંધને આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે યશવંત સિંહા વિપક્ષના સંયુક્ત ઉમેદવાર હતા. મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીને સીલ કરવામાં આવે છે. મતગણતરી હવે 21 જુલાઈએ થશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે.

આ મામલે રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ કહ્યું કે 16મી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન, જે આજે 18 જુલાઈના રોજ સવારે 10 વાગ્યે સંસદ ભવન અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના નિર્ધારિત સ્થળો પર શરૂ થયું હતું, સાંજે 5 વાગ્યે સમાપ્ત થયું હતું. તમામ જગ્યાએ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 736 મતદારોમાંથી (સંસદના 727 સભ્યો અને વિધાનસભાના 9 સભ્યો) 730 મતદારો (સંસદના 721 સભ્યો અને વિધાનસભાના 9 સભ્યો)એ પોતાનો મત આપ્યો હતો. આવી સ્થિતિમાં સંસદ ભવનમાં કુલ 99.18% મતદાન થયું હતું.
ઘણા પક્ષોમાં ક્રોસ વોટિંગ
વિરોધ પક્ષો શરૂઆતથી જ એક હોવાનો દાવો કરી રહ્યા હતા. આ કારણથી તમામ પક્ષોએ પણ યશવંત સિન્હાને સમર્થન આપ્યું હતું, પરંતુ મતદાનના દિવસે જ તમામ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ હતી. ગુજરાત, યુપી, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓના ધારાસભ્યોમાં ભાગલા પડ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનસીપીના વડા શરદ પવારની મહત્વની ભૂમિકા હતી, પરંતુ તેમની જ પાર્ટીના ધારાસભ્ય કાંધલ એસ. જાડેજાએ મુર્મુને મત આપ્યો હતો. એ જ રીતે ઝારખંડના એનસીપી ધારાસભ્ય કમલેશ સિંહ મુર્મુની તરફેણમાં ગયા. કોંગ્રેસ પણ ક્રોસ વોટિંગ અટકાવવામાં નિષ્ફળ રહી, જ્યાં પાર્ટીના ઓડિશાના ધારાસભ્ય મોહમ્મદ મુકિમ, હરિયાણાના કુલદીપ વિશ્નોઈ અને અન્ય ઘણા ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું.
પાર્ટી નહી કરી શકે કાર્યવાહી
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને સ્પષ્ટ નિયમ છે કે કોઈપણ પાર્ટી વ્હીપ જારી કરી શકતી નથી એટલે કે સાંસદો અને ધારાસભ્યો પોતાના મનથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને મત આપી શકે છે. જેના કારણે પક્ષો ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો સામે કાર્યવાહી કરી શકતા નથી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
