Rahul Gandhi Disqualified: શું રાહુલ ગાંધીને લાલુ યાદવે આપ્યો હતો શ્રાપ?, ગિરીરાજ સિંહે સંભળાવ્યો કિસ્સો
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને લાલુ પ્રસાદ યાદવનો શ્રાપ છે. જ્યારે ઘાસચારા કૌભાંડમાં આદેશ આવ્યો અને લાલુ પ્રસાદનું સભ્યપદ જવાનું હતું, ત્યારે રાહુલ ગાંધી તેમને મળ્યા ન હતા. ત્યારે રાહુલ ગાંધીએ આવા કેસમાં અપીલની જોગવાઈ સાથે સંબંધિત વટહુકમ ફાડી નાખ્યો હતો. લાલુ યાદવે તે સમયે રાહુલ ગાંધીને શ્રાપ આપ્યો હતો.

કેરળની વાયનાડ સંસદીય બેઠકનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધીને શુક્રવારે સુરતની અદાલત દ્વારા માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેમનો અયોગ્યતાનો આદેશ 23 માર્ચથી લાગુ થશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેમને બંધારણની કલમ 102 (1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
राहुल गांधी को लालू प्रसाद यादव का श्राप लगा है। जब चारा घोटाले में आदेश आया था और लालू प्रसाद की सदस्यता जाने वाली थी। उस समय राहुल गांधी उनसे नहीं मिलते थे...राहुल गांधी ने तब ऐसे मामले में अपील के प्रावधान से संबंधित अध्यादेश को फाड़ दिया था। लालू जी ने उस समय राहुल गांधी को… pic.twitter.com/XfT3KxRxS2
— ANI_HindiNews (@AHindinews) March 25, 2023
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીને 'મોદી સરનેમ'ને લઈને ગુનાહિત માનહાનિના કેસમાં ગુરુવારે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જો કે, કોર્ટે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષને તાત્કાલિક જામીન આપી દીધા હતા અને તેમની સજાના અમલ પર 30 દિવસ માટે રોક લગાવી દીધી હતી, જેથી તેઓ ચુકાદા સામે અપીલ કરી શકે.
રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ રદ્દ થયા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આને લઈને રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. વિપક્ષ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહ્યો છે તો સરકાર જવાબી કાર્યવાહી કરી રહી છે. આ નિર્ણયનો સમગ્ર દેશમાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. લોકસભા સચિવાલયના આ નિર્ણય બાદ કોંગ્રેસે શુક્રવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આમાં સોનિયા ગાંધી પણ હાજર હતા.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
