ચીન અને પાકિસ્તાનને કરારો જવાબ આપવા માટે અમે તૈયાર: વાયુ સેના
ભારતીય વાયુસેના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તે ભારત અને ચીન બંને મોરચા પર એક સાથે કામગીરી માટે તૈયાર છે. ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે એવું કહેવામાં આવી રહ્યું છે કે મુકાબલો થવાની સ્થિતિમાં ચ
ભારતીય વાયુસેના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તે ભારત અને ચીન બંને મોરચા પર એક સાથે કામગીરી માટે તૈયાર છે. ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે એવું કહેવામાં આવી રહ્યું છે કે મુકાબલો થવાની સ્થિતિમાં ચીન અને પાકિસ્તાન બંને ભારતની સામે મળીને આવી શકે છે. શુક્રવારે ભારતીય વાયુસેનાએ કહ્યું છે કે તે એક સમયે બંને મોરચા પર લડી શકે છે.
ભારતીય વાયુસેના લડાકુ વિમાનો અને હેલિકોપ્ટર દ્વારા શ્યોક નદી નજીક ફોરવર્ડ એરબેઝ દ્વારા બંને દેશો પર નજર રાખી રહી છે. ફોરવર્ડ એરબેઝ જ્યાંથી પાકિસ્તાન આશરે 5૦ કિમી અને વ્યૂહાત્મક દૌલાત બેગ ઓલ્ડિ આશરે 8૦ કિમી જેટલું છે.
પાકિસ્તાનના સ્કાર્ડુ એરબેઝથી થનારા ખતરા અને ચીન-પાકિસ્તાનના એક સાથે આવવા અંગેના સવાલ અંગે એએનઆઈના એરફોર્સ અધિકારીએ કહ્યું કે ભારતીય પ્લેટફોર્મ આધુનિક પ્લેટફોર્મના કારણે કોઈ પણ કામગીરી કરવા માટે સંપૂર્ણ રીતે પ્રશિક્ષિત છે અને તૈયાર છે. અમે કોઈપણ પરિસ્થિતિ સાથે વ્યવહાર કરવા માટે સંપૂર્ણ પ્રશિક્ષિત અને પ્રેરિત છીએ. આ દુર્ગમ વિસ્તારોમાં રાતના ઓપરેશન માટે ભારતીય વાયુસેનાની ક્ષમતા વિશે વાત કરતા એક ફાઇટર પાયલોટે કહ્યું કે આજે આપણી લડાઇ ક્ષમતા વધી છે. અમે કોઈપણ પરિસ્થિતિ દરમિયાન રાત કે દિવસ તમામ પ્રકારના મિશન કરવામાં સક્ષમ છીએ.
આ પણ વાંચો: શું ખરેખર ગાવસ્કરે અનુષ્કાને લઇ કરી ખરાબ કમેંટ? જાણો સચ્ચાઇ