Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શેમાથી બને છે અલિગઢના ફેમસ તાળા? જાણો શું છે રામ મંદિર સાથે કનેક્શન?

અયોધ્યામાં બની રહેલા રામ મંદિર અને અલીગઢના તાળા વચ્ચે ખાસ કનેક્શન છે. રામ મંદિરમાં અલીગઢમાં બનેલુ દુનિયાનું સૌથી મોટું તાળું લગાવવામાં આવનાર છે.

દાયકાઓ બાદ અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે. વિશ્વભરના કરોડો ભક્તોમાં આને લઈને ભારે ઉત્સાહ છે. આ મહિનાની 22 તારીખે અયોધ્યામાં રામલલાના જીવન અભિષેકનો કાર્યક્રમ પણ યોજાનાર છે.

locks of Aligarh

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને તમામ દેશવાસીઓમાં ભારે ઉત્સાહ છે. રામ મંદિરમાં જે તાળુ લગાવવામાં આવી રહ્યુ છે તે ચાર ક્વિન્ટલનું છે. જેને અલીગઢના એક વૃદ્ધ કારીગરે 45 વર્ષમાં તૈયાર કર્યું છે.

અલીગઢ તાળાઓ માટે પ્રખ્યાત છે. અલીગઢમાં તાળાઓનો જોરદાર વેપાર છે. વાર્ષિક બિઝનેસની વાત કરીએ તો આ બિઝનેસ 40,000 હજાર કરોડ રૂપિયાનો છે. અહીં તાળા બનાવવાના 5000 થી વધુ યુનિટ છે.

શું તમે જાણો છો કે અલીગઢમાં તાળાઓ કઈ ધાતુથી બને છે અને શા માટે તે આટલા પ્રખ્યાત છે? અલીગઢમાં બનેલા તાળાઓ પહેલા પિત્તળના બનતા. હવે તે સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેની તાકાત અજોડ રહે છે. તેથી જ તે સમગ્ર વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે.

જણાવી દઈએ કે, અલીગઢના તાળાને જીઆઈ એટલે કે ભૌગોલિક સંકેતનું ટેગ પણ મળ્યું છે. અલીગઢમાં તાળા બનાવવાનો ધંધો મુઘલ કાળથી ચાલી રહ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X