અરૂણ ગોયલના રાજીનામાં પહેલા ઈલેક્શન કમિશનમાં શું રંધાયુ? સામે આવી ગઈ ઈનસાઈડ સ્ટોરી
એક તરફ લોકસભા ચૂંટણી આવી રહી છે તો બીજી તરફ ઈલેક્શન કમિશનમાં બધુ ઠીક નથી. ચૂંટણી કમિશનર અરુણ ગોયલના રાજીનામાં બાદ આ વિવાદ સામે આવ્યો છે.
ચૂંટણી કમિશનર અરુણ ગોયલના અચાનક રાજીનામા બાદ નવી નિમણૂકોની પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા ગોયલે આ પગલું શા માટે લીધું તે હજુ પણ રહસ્ય છે.

ઘણી અટકળો છે પરંતુ એક પણ નક્કર કારણ નથી અને અરુણ ગોયલે પોતે પણ રાજીનામાનાં કારણો સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો નથી.
અરુણ ગોયલના રાજીનામા પહેલા શું થયું?
હવે ચૂંટણી પંચની અંદરથી એવી બાબતો બહાર આવી રહી છે જે દર્શાવે છે કે તેમના રાજીનામાં પહેલા પંચમાં કેવું વાતાવરણ હતું?
અરુણ ગોયલે 8 માર્ચે ચૂંટણી કમિશનર પદ પરથી રાજીનામું આપ્યું અને 9 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વીકાર્યું હતું. તેમના રાજીનામાના એક દિવસ પહેલા 7 માર્ચ સુધી નવી દિલ્હી સ્થિત નિર્વાચન સદનમાં બધું રાબેતા મુજબ હતું.
રાજીનામા પહેલા વિદેશી મીડિયાના લોકો સાથે ચર્ચામાં ભાગ લીધો હતો.
તે દિવસે ગોયલ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર સાથે વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત વિદેશી મીડિયા સાથેની ઑફ-કેમેરા ચર્ચામાં જોડાયા હતા. વિવિધ વિદેશી મીડિયા બ્રાન્ડના ઓછામાં ઓછા 27 પત્રકારોએ તેમાં ભાગ લીધો હતો.
તેના થોડા દિવસો પહેલા એટલે કે 4 અને 5 માર્ચે તેઓ CEC અને ચૂંટણી પંચના અન્ય અધિકારીઓ સાથે લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયા હતા.
જો કે, સૂત્રો અનુસાર, તેમણે કોલકાતા પહોંચ્યા પછી બેચૈની અને ગભરાટની ફરિયાદ કરી હતી. પરંતુ 4 માર્ચની મોડી સાંજ સુધી તેમણે તમામ બેઠકોમાં હાજરી આપી હતી.
5 માર્ચે કોલકાતાની ઓબેરોય ગ્રાન્ડ હોટેલમાં તેમના માટે એક ડૉક્ટરને પણ બોલાવવામાં આવ્યો હતો, જ્યાં ચૂંટણી પંચના લોકો રોકાયા હતા. તેમની દવા પણ તરત જ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેઓ હજુ પણ અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. આ કારણે તે 5 માર્ચે 12 વાગ્યે કોલકાતામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લઈ શક્યા નહીં.
તે જ દિવસે બપોરે 3.25 કલાકે કોલકાતા-દિલ્હી વિસ્તારા ફ્લાઈટ દ્વારા સીઈસી અને ચૂંટણી પંચના અન્ય લોકો સાથે દિલ્હી પરત ફર્યા હતા.
અરુણ ગોયલ પણ 6 માર્ચે નિર્વાચન સદન પહોંચ્યા પરંતુ તે દિવસે કોઈ મોટી મીટિંગ નહોતી, જેમાં તમામ કમિશનરની હાજરી જરૂરી હોય. 7 માર્ચની મીટીંગ ઉપર ચર્ચા થઈ ચૂકી હતી.
8 માર્ચે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. તે દિવસે તેઓ ગૃહ સચિવ અજય ભલ્લા સાથે ચૂંટણી પંચ તરીકેની બેઠકમાં હાજર રહેવાના હતા, જેમાં સુરક્ષા દળોની તૈનાતી સંબંધિત લોજિસ્ટિક્સને આખરી ઓપ આપવાનો હતો.
મતદાનના તબક્કાઓ નક્કી કરવામાં તેનું ખૂબ મહત્વ છે, જેના આધારે સુરક્ષા દળોને એક જગ્યાએથી બીજી જગ્યાએ તૈનાત કરવામાં આવે છે. પરંતુ તે જ દિવસે તેમણે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું મોકલી આપ્યું.
તો પછી શું થયું?
ગોયલના રાજીનામાનું એક કારણ જે પ્રકાશમાં આવી રહ્યું છે તે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર સાથેના તેમના મતભેદ છે. મળતી માહિતી મુજબ, 15 ફેબ્રુઆરીએ અન્ય ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ બાદ આ મતભેદો વધુ વધવા લાગ્યા હતા.
મોટાભાગના મતભેદો કોઈ મોટા મુદ્દા પર નહોતા. ઉદાહરણ તરીકે રાજ્યોમાં ચૂંટણી તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે જતી ચૂંટણી પંચની ટીમ કેટલી મોટી હોવી જોઈએ અને રાજ્યોમાં પ્રેસ બ્રીફિંગનું ફોર્મેટ શું હોવું જોઈએ જેવા સામાન્ય મુદ્દાઓ પર અલગ-અલગ મંતવ્યો હતા.
આંતરિક સૂત્રો કહે છે કે આ મતભેદો હોવા છતાં બંને વચ્ચે અસંમતિનો કોઈ ઔપચારિક કેસ નોંધાયો નથી. આ મતભેદો ફક્ત મૌખિક રીતે વ્યક્ત કરવામાં આવી રહ્યા હતા.
જો કે, તે ચોક્કસપણે જાણીતું છે કે જ્યારે પાંડે નિવૃત્ત થયા ન હતા ત્યારે આવા મતભેદો ખૂબ જ સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલાયા હતા. માહિતી એ પણ પ્રકાશમાં આવી છે કે જ્યારે મતભેદો સામે આવ્યા ત્યારે પંચે તેની નોંધો અને દસ્તાવેજોમાં ઘણી વખત ફેરફાર કર્યા. એટલું જ નહીં, ગોયલના ઘણા સૂચનો પણ સ્વીકારાયા હતા.
મતલબ કે જે પણ અંદરની માહિતી સામે આવી છે તેના પરથી એવું લાગતું નથી કે અરુણ ગોયલને આ કારણે રાજીનામું આપવાની ફરજ પડશે. જો કે, જ્યાં સુધી તેઓ પોતે રાજીનામાનું કારણ સ્પષ્ટ નહીં કરે ત્યાં સુધી આ રહસ્ય રહસ્ય જ રહેશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
