મહારાષ્ટ્રઃ ગુસ્સામાં કેમ છે મરાઠા? શું છે મરાઠા અનામત આંદોલનની માંગો?
સમગ્ર મહારાષ્ટ્ર મરાઠા આંદોલનની આગમાં બળી રહ્યુ છે. ઠેર-ઠેર બસોને નિશાન બનાવવામાં આવી રહી છે, હાઈવે પર ગાડીઓને રોકવામાં આવી રહી છે. આવો જાણીએ, શું છે મરાઠા સમુદાયની મુખ્ય માંગોઃ
સમગ્ર મહારાષ્ટ્ર મરાઠા આંદોલનની આગમાં બળી રહ્યુ છે. ઠેર-ઠેર બસોને નિશાન બનાવવામાં આવી રહી છે, હાઈવે પર ગાડીઓને રોકવામાં આવી રહી છે. ઠાણેમાં લોકલ ટ્રેન રોકવાની કોશિશ કરવામાં આવી છે જ્યારે ઘણા વિસ્તારોમાં દુકાનોને બળજબરીથી બંધ કરાવવામાં આવી છે. લાતુરમાં પણ બળજબરીથી દુકાનો બંધ કરાવવામાં આવતા બે જૂથોમાં મારપીટ થઈ છે. આ પહેલા મંગળવારે મરાઠા અનામત અંગે એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેની બુધવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. મરાઠા ક્રાંતિ મોરચા પોતાની માંગો અંગે આખા રાજ્યભરમાં આંદોલન કરી રહ્યા છે. આવો જાણીએ, શું છે મરાઠા સમુદાયની મુખ્ય માંગોઃ

ઓબીસી દરજ્જાની માંગ કરી રહ્યા છે મરાઠા સમુદાય
મરાઠા સમુદાય મહારાષ્ટ્રમાં ઓબીસી દરજ્જાની માંગ કરી રહ્યા છે. મરાઠા નેતાઓની માંગ છે કે તેમના સમુદાયને ઓબીસી કેટેગરીમાં શામેલ કરવામાં આવે. જો ઓબીસી કેટેગરીમાં શામેલ કર્યા વિના તેમને અનામત આપવામાં આવે તો પછી તે કોર્ટ કચેરીના કેસોમાં ફસાઈ જશે અને રાજ્યમાં અનામતની સીમા 50 ટકાથી ઉપર જતી રહેશે, જેના કારણે મરાઠા અનામતને કોર્ટમાં પડકારવામાં આવી શકશે. હાલમાં બંધારણીય વ્યવસ્થા હેઠળ કોઈ પણ રાજ્યમાં 50 ટકાથી ઉપર અનામત આપવુ સંભવ નથી.

મરાઠા સમુદાય તત્કાળ ઉકેલ ઈચ્છે છે
મરાઠા નેતાઓનું કહેવુ છે કે સરકારની નિયત જોઈને લાગતુ નથી કે તે આમ કરવા ઈચ્છે છે. સરકાર જો ઈચ્છે તો વિધાનસભામાં પ્રસ્તાવ લાવીને મરાઠા સમુદાયને ઓબીસી કેટેગરીમાં લાવી શકે છે. જો કે જણાવવામાં આવી રહ્યુ છે કે નીચલા વર્ગ આયોગ આ દિશામાં કામ કરી રહ્યુ છે. પરંતુ મુંબઈ હાઈ કોર્ટમાં ફરિયાદ કરનાર ફરિયાદકર્તા વિનોદ પાટિલે મુખ્યમંત્રીને એક પત્ર મોકલ્યો છે અને કહ્યુ છે કે સરકાર આના પર એક દિવસની અંદર વટહુકમ જારી કરે નહિતર આંદોલન ચાલુ રહેશે.

મરાઠા સમુદાય આખા મહારાષ્ટ્રમાં કરી રહ્યુ છે આંદોલન
મરાઠા સમુદાય મહારાષ્ટ્રમાં સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત આપવાન માંગ કરી રહ્યો છે. મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયની કુલ 33 ટકા વસ્તી છે. વસ્તીના આધારે તે પોતાના માટે અનામતની માંગ કરી રહ્યા છે. આ પહેલા હાઈ કોર્ટે રાજ્ય સરકારે 2014 ના નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં 16 ટકા અનામત આપવાના નિર્ણય પર રોક લગાવી દીધી હતી અને કહ્યુ હતુ કે કુલ અનામતની સીમા 50 ટકાથી વધારી શકાય નહિ અને આ વાતના કોઈ પુરાવા મળ્યા નથી કે મરાઠા સમુદાય આર્થિક અને સામાજિક રીતે પછાતપણાનો શિકાર છે.
-
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
LPG Gas oil crisis: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક થયા પછી ભારત માટે હવે કયા રસ્તા?










Click it and Unblock the Notifications
