જાણો શું છે MTCR? અને ભારતને તેનાથી શું ફાયદો થશે!
ભારતને આજે મિસાઇલ ટેક્નોલોજી કંટ્રોલ રિઝીમ (MTCR)ની પૂર્ણ સદસ્યતા મળી છે. વિદેશ સચિવ એસ. જયશંકરે ફ્રાંસ અને નેધરલેન્ડ તથા લક્ઝેમબર્ગના રાજદૂતોની હાજરીમાં આ દસ્તાવેજ પર અધિકૃત હસ્તાક્ષર કર્યા છે. અને હવે તે આ વિશ્વના પાવરફુલ ગ્રુપમાંથી એક ગ્રુપનું સભ્ય છે. ત્યારે ભારત દ્વારા એમટીસીઆરની સભ્યતા મેળવ્યા બાદ ભારતની મિસાઇલ્સ તકાત વધશે તે વાત તો પાક્કી છે.
ત્યારે એનએસજીની નિષ્ફળતા બાદ ભારતની આ સફળતાએ વિદેશ મંત્રાલયની મહેનતને એળે નથી જવા દીધી. ત્યારે શું છે એમટીસીઆર? તેનાથી ભારતને કેવો ફાયદો થઇ શકે છે, કેવી રીતે ભારતની આ વિદેશ નીતીએ ચીન અને પાકિસ્તાનને પાછળ પાડ્યું છે તે વિષે સવિસ્તાર જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

શું છે એમટીસીઆર?
1987માં સાત દેશો સમેત 12 વિકસિત દેશો સાથે મળીને હથિયારો અને મિસાઇલ્સની કાળાબજારીને થતી રોકવા માટે એક કરાર કર્યો હતો. જેને મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિઝીમ કહે છે. હાલ 34 દેશો આ ગ્રુપની સભ્યો છે. આ તમામ દેશોને તેમની રાસાણિક, બાયોલોજીકલ અને ન્યૂક્લિયર મિસાઇલ્સની ખરીદ, વેચાણ અને ઉત્પાદન વિષે આ ગ્રુપને જાણકારી આપવી પડે છે.

શું શું ફાયદા ભારતને થઇ શકે છે?
નોંધનીય છે કે આ ગ્રુપમાં જોડાયા પછી ભારત તેમાં સામેલ તમામ દેશો એકબીજા સાથે સરળતાથી મિસાઇલ્સની લે-વેચનો વેપાર કરી શકે છે.

શું શું ફાયદા ભારતને થઇ શકે છે?
આ ગ્રુપમાં જોડાયા પછી ભારતને રોકેટ સિસ્ટમ, ડ્રોન જેવી ટેકનોલોજીને ખરીદવામાં સરળતા રહેશે. સાથે ભારત પોતાનો મિસાઇલ્સ પાવર વધારી શકે છે.

શું છે નુક્શાન?
આ કરાર બાદ ભારત વધુમાં વધુ 300 કિમી મારણ ક્ષમતા વાળી મિસાઇલનું જ નિર્માણ કરી શકે છે. જે આ કરાર મુજબ હથિયોરોની હોડને રોકવામાં માટે કરવામાં આવ્યું છે.

શું છે સજા?
જો કોઇ પણ દેશ આ કરારમાં સૂચવેલા નિયમોને તોડે છે તો તે આવનારા બે વર્ષો કે તેથી વધુ સમય સુધી અન્ય કોઇ પણ દેશ જોડે હથિયાર અને મિસાઇલ્સની ખરીદી નથી કરી શકતો.

ઇટલી નડ્યું હતું!
નોંધનીય છે કે 2015માં ભારતને આ ગ્રુપની સદસ્યા માટે એપ્લાય કર્યું હતું પણ ઇટલીના વિરોધ ના કારણે તેને આ સભ્યતા નહતી મળી. જો કે 2016માં ભારતનો રસ્તો મોકળો થયો હતો અને તેની સરળતાથી કોઇ પણ વિરોધ વગર આ સભ્યતા મળી હતી.

એનએસજીમાં પણ મદદ
સાથે જ જાણકારોનું કહેવું છે કે આવનારા સમયમાં એનએસજીની સદસ્યા માટે દાવેદાર થવા માટે ભારતને તેની એમટીસીઆરની સદસ્યતા મદદરૂપ થઇ શકે છે. જે જોતા આ સભ્યતા ભારત માટે આવનારા દિવસોમાં ફાયદાકારક સાબિત થશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
