જન્મદિવસ પર શું-શું કરશે મોદી, જાણો તેમનો કાર્યક્રમ
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર: નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી મંગળવારે પ્રથમવાર ગુજરાત પહોંચી રહ્યાં છે. તે 17 સપ્ટેમ્બરના રોજ 64 વર્ષના થઇ જશે. પરંતુ તે ઇચ્છે છે કે આ વખતે તેમના સમર્થકો બુધવારે તેમનો જન્મદિવસ ઉજવવાના બદલે જમ્મૂ-કાશ્મીરમાં પૂર પીડિતોને મદદ કરે. નરેન્દ્ર મોદી જન્મદિવસ પર માતાના આર્થિવાદ પ્રાપ્ત કરશે અને પછી તેમનો મોટાભાગનો સમય કામકાજમાં વ્યવસ્ત રહેશે. તે કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશે અને ચીની રાષ્ટ્રપતિની મહેમાનનવાજી કરશે.
નરેન્દ્ર મોદી મંગળવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ગુજરાત ભાજપ અને રાજ્ય સરકારે વડાપ્રધાનના ભવ્ય સ્વાગતનો કાર્યક્રમ બનાવ્યો છે. પરંતુ નરેન્દ્ર મોદીની ટ્વિટ બાદ આ કાર્યક્રમ રદ થવાની સંભાવના છે.
નરેન્દ્ર મોદીના આ ટોપ 10 ડાયલોગ સાંભળીને તમારી છાતી થઇ જશે '56 ઇંચ'ની
ભાજપના કાર્યકર્ત લોકસભા ચૂંટણીમાં મળેલી જીતને ધ્યાનમાં રાખતાં નરેન્દ્ર મોદીના સન્માનમાં 17 સપ્ટેમ્બરના રોજ 'ધન્યવાદ દિવસ'ના રૂપમાં ઉજવવાની તૈયારી કરી રહ્યાં હતા. પરંતુ નરેન્દ્ર મોદીના ટ્વિટ બાદ હવે ભાજપના કાર્યકર્તા જન્મદિવસ ઉજવવાના બદલે જમ્મૂ-કાશ્મીર પૂર પીડિતોને રાહત સામગ્રી પહોંચાડવામાં લાગી ગયા છે.
મોદીના જન્મદિવસનો કાર્યક્રમ
- સવારે સૌથી પહેલાં તે ગાંધીનગરમાં માતા હિરાબેનના આર્શિવાદ લેશે
મોદીના જન્મદિવસનો કાર્યક્રમ
- ત્યારબાદ મહાત્મા મંદિરમાં વડાપ્રધાન સમક્ષ રાજ્ય સરકારની ગત 100 દિવસોની ઉપલબ્ધિઓ રજૂ કરવામાં આવશે.
મોદીના જન્મદિવસનો કાર્યક્રમ
- નરેન્દ્ર મોદી દ્વારા કેટલીક યોજનાઓની જાહેરાત કરવામાં આવી શકે છે. કાર્યક્રમમાં જરૂરિયાતમંદોની મદદ કરવામાં આવશે.
મોદીના જન્મદિવસનો કાર્યક્રમ
-બપોરે અઢી વાગે જિનપિંગ સ્વાગત કરવા માટે એરપોર્ટ જશે.
મોદીના જન્મદિવસનો કાર્યક્રમ
- હોટલ હયાતમાં જિનપિંગ અને ચેનના પ્રતિનિધિ મંડળ સાથે મીટિંગ કરશે.
મોદીના જન્મદિવસનો કાર્યક્રમ
- હોટલ હયાતથી જિનપિંગની સાથે મહાત્મા મંદિર પહોંચશે.
મોદીના જન્મદિવસનો કાર્યક્રમ
- સાંજે જિનપિંગ સાથે સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે.
મોદીના જન્મદિવસનો કાર્યક્રમ
- રિવરફ્રન્ટ પર નરેન્દ્ર મોદી જિનપિંગની સાથે ડિનર કરશે.
મોદીના જન્મદિવસનો કાર્યક્રમ
- ડિનર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જિનપિંગ દિલ્હી માટે રવાના થશે.