બોમ્બે બ્લડ ગ્રુપ શું છે? જેની એક અઠવાડિયામાં હોસ્પિટલોમાં માંગ વધી ગઈ
અત્યંત દુર્લભ 'બોમ્બે બ્લડ ગ્રુપ' ની માંગ મુંબઈની હોસ્પિટલોમાં અચાનક વધી ગઈ છે. ગયા અઠવાડિયે, મુંબઈની નાયર હોસ્પિટલમાં 5 દર્દીઓ માટે આ બ્લડ ગ્રુપની માંગ બહાર આવી હતી.
અત્યંત દુર્લભ 'બોમ્બે બ્લડ ગ્રુપ' ની માંગ મુંબઈની હોસ્પિટલોમાં અચાનક વધી ગઈ છે. ગયા અઠવાડિયે, મુંબઈની નાયર હોસ્પિટલમાં 5 દર્દીઓ માટે આ બ્લડ ગ્રુપની માંગ બહાર આવી હતી. હિન્દુજા, જે.જે. અને ટાટા હોસ્પિટલમાં ઉપરોક્ત બ્લડ ગ્રુપની જરૂર છે. દેશભરમાં આ દુર્લભ બ્લડ ગ્રુપના માત્ર 292 સભ્યો છે, જે જરૂર પડે ત્યારે રક્તદાન કરે છે.

અત્યાર સુધી, મુંબઇમાં આ દુર્લભ બ્લડ ગ્રુપની માંગ ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં કેન્સરના દર્દી અને નાયર હોસ્પિટલમાં દાખલ મહિલા માટેની છે. અધિકારીઓ સાંગલીથી મુંબઇ સુધી એક બ્લડ યુનિટ લાવવાની તૈયારી કરી રહ્યા છે. નાયર હોસ્પિટલમાં મહિલા દર્દીની હાલત વધુ બગાડી ગઈ હતી અને તેનું હિમોગ્લોબિન કાઉન્ટ 2 સુધી પહોંચી ગયું હતું. સામાન્ય રીતે, હિમોગ્લોબિન કાઉન્ટ 12 કે તેથી વધુ હોય છે.
ત્યારબાદ બે દાતાઓનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ દર્દીની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં, ત્યારબાદ ત્રીજા દાતાની શોધખોળ શરૂ થઈ. વિનય શેટ્ટીએ કહ્યું કે મહિલાની હાલત ગંભીર છે, અમને વધુ રક્તદાતાઓની જરૂર પડશે. જે.જે. મહાનગર બ્લડ બેંકના અધિકારીએ જણાવ્યું કે, આ બ્લડ ગ્રુપનું લોહી મળતું નથી અને તેને એકત્રિત કરવામાં સમય લે છે. જ્યારે જરૂર હોય ત્યારે જ અમે દાતાઓનો સંપર્ક કરીએ છીએ.
બોમ્બે બ્લડ ગ્રુપ શું છે?
બોમ્બે બ્લડ ગ્રુપ એ એક દુર્લભ બ્લડ ગ્રુપ છે જે 7,600 થી વધુ લોકોમાં જોવા મળે છે. તેની ઓળખ સૌ પ્રથમ 1952 માં એક ડોક્ટર વાય.એમ.ભેંડે દ્વારા મુંબઇમાં કરવામાં આવી હતી, ત્યારબાદ પછીથી તેનું નામ બોમ્બે બ્લડ ગ્રુપ રાખવામાં આવ્યું હતું. થિંક ફાઉન્ડેશનના એનજીઓનાં વિનય શેટ્ટીના જણાવ્યા મુજબ, આ બ્લડ ગ્રૂપના દેશભરમાં 350 દર્દીઓ છે, પરંતુ કટોકટીમાં રક્તદાન કરવા માટે ફક્ત 30 સક્રિય દાતાઓ ઉપલબ્ધ છે, અને તેમાંય બોમ્બે બ્લડ ગ્રુપ નેગેટિવ ખુબ ઓછા લોકોમાં જોવા મળે છે.
આ પણ વાંચો: ગુજરાત: સગાઈ પછી યુવતીએ લગ્નની ના પાડી, તો ચોથા માળેથી કૂદયો યુવક
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
