Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની ફરીથી કામ કરવાની સંભાવના કેટલી? જાણો શું કહ્યું ઈસરો વૈજ્ઞાનિકોએ?

ભારતના વૈજ્ઞાનિકો સતત ચંદ્રયાન ત્રણના પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરને ઉંઘમાંથી જગાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પુરી દુનિયાની નજર ઈસરોના વૈજ્ઞાનિકો પરછે ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે.

લુનાર રાત્રીની શરૂઆત થતા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને ચંદ્રના સાઉથ પોલ પર સલામત રીતે સ્લીપ મોડમાં મુકી દેવાયા હતા. હવે ત્યાં સુરજ ઉગ્યો છે અને વૈજ્ઞાનિકો સતત સ્લીપ મોડમાંથી કાઢવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

Vikram Lander

વૈજ્ઞાનિકોને ધારણા હતી કે સ્લીપ મોડમાં ગયા બાદ બન્ને ફરીથી 22 સપ્ટેમ્બરે સ્લીપ મોડમાંથી બહાર આવશે અને કામ કરવાનું શરૂ કરશે. જોકે 15 દિવસની લુનાર રાત્રીના કારણે બન્ને ઠંડા પડી ગયા છે અને સ્લીપ મોડમાંથી બહાર આવતા સમય લાગી રહ્યો છે.

15 દિવસ સુધી કામ કર્યા પછી અને 15 દિવસ સુધી સ્લીપ મોડમાં રહીને વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક થઈ શક્યો નથી. અહેવાલો અનુસાર, ઈસરોના વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે કે ચંદ્રયાન સાથે હજુ પણ સંપર્ક થઈ શકે તેવી આશા છે.

ચંદ્ર પર રાત્રે 15 દિવસ દરમિયાન તાપમાન માઈનસ 200 થી માઈનસ 250 ડિગ્રી હોય છે. આ જ કારણ છે કે તેના ઘણા ભાગો કામ કરવાનું બંધ કરી દે છે. આ ઠંડીના કારણે ઘણા ભાગો કામ કરી શકતા નથી.

જો આ ભાગો ફરી કામ કરશે તો તે ફરી એકવાર કનેક્શન શરૂ કરશે અને ફરીથી ISRO સાથે કેટલીક વિગતો શેર કરવાનું શરૂ કરશે. ટ્રાન્સમીટર ચાલુ ન હોવાને કારણે હાલમાં કોઈ કનેક્ટિવિટી નથી અને જ્યાં સુધી તે ચાલુ નહીં થાય ત્યાં સુધી થોડી કનેક્ટિવિટી રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X