Whatsapp પર ઇમરાન ખાન અને નરેશ કનોડીયા થયુ અવસાન!
નવી દિલ્હી, 14 ઓગષ્ટ: સોશિયલ મીડિયા જે લોકોને જોડવાનું કામ કરે છે તો બીજી તરફ સોશિયલ મીડિયા લોકોની પરેશાનીઓ વધારવામાં પણ પાછળ નથી. એકતરફ તેનો ફાયદો છે તો બીજી તરફ નુકશાન પણ છે. લોકપ્રિય મોબાઇલ એપ્લિકેશન 'વોટ્સઅપ' ફેલાયેલી અફવાએ જોર પકડ્યું અને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન અને ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટારની મુશ્કેલીઓ વધારી દિધી.
મંગળવારે સવારથી જ વોટ્સ પર એક અફવાએ જોર પકડ્યું હતું કે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન તથા રાજનેતા ઇમરાન ખાનની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે તો બીજી તરફ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાના મોતના સમાચાર વાયુવેગે ફરતા થયા હતા. જો કે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન વિશે ફેલાયેલી આ અફવા વિશે કોઇ મોટા સમાચાર પત્ર કે મીડિયા હાઉસમાં કશું લખવામાં આવ્યું નથી. તો બીજી તરફ નરેન કનોડિયાને આ અંગે જાણ થતાં તેમને ગાંધીનગર ખાતે સેક્ટર 7માં ફરિયાદ દાખલ કરી હતી.
વધુ માહિતી જાણવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

ઇમરાન ખાનના મોતની ફેલાઇ અફવા
વોટ્સઅપે આ અફવાને ફેલાવી દિધી છે તો બીજી તરફ માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ પર આ અફવાને નકારી કાઢી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 20 વર્ષ સુધી પાક ક્રિકેટ ટીમની સેવા કર્યા બાદ ઇમરાન ખાને વર્ષ 1996માં એક નવી પાર્ટી 'તહરીક-એ-ઇંસાફ'ની રચના કરી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

ઇમરાન ખાનની ગોળી મારી હત્યા
મંગળવારે સવારથી જ વોટ્સઅપ પર એક અફવાએ જોર પકડ્યું હતું કે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન તથા રાજનેતા ઇમરાન ખાનની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.

અફવાની મીડિયા લીધી નહી નોંધ
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન વિશે ફેલાયેલી આ અફવા વિશે કોઇ મોટા સમાચાર પત્ર કે મીડિયા હાઉસમાં કશું લખવામાં આવ્યું નથી.

નરેશ કનોડિયાએ નોંધાવી ફરિયાદ
મંગળવારે સવારથી વોટ્સઅપ અને ફેસબુક સહિત સોશિયલ મીડિયા પર ફરતા થયેલા પોતાના મોતના સમાચારથી પરેશાન અને નારાજ ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાએ ગાંધીનગર સેકટર 7 પોલીસ મથકે સાઈબર ક્રાઈમ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

હું જીવું છું અને તમારી સામે છું: નરેશ કનોડિયા
પોલીસ મથકમાં નરેશ કનોડિયાએ જણાવ્યું હતું કે, હું જીવું છું અને તમારી સામે છું. આજે સવારથી વોટ્સએપ પર ફરતા થયેલા મારા મોતના ખોટા મેસેજના કારણે મારા પર અઢળક ફોન કોલ્સ આવવાના શરૂ થઈ ગયા હતા. પછી એક સંબંધીએ મને મેસેજ ફોર્વર્ડ કરીને આ અંગે મને જાણ કરી હતી.

મેસેજથી મને ખુબ જ આઘાત પહોંચ્યો
નરેશ કનોડિયાએ જણાવ્યું હતું કે આ મેસેજથી મને ખુબ જ આઘાત પહોંચ્યો છે અને મારા પરિવારને ખુબ જ પરેશાની સહન કરવી પડી છે. આ મામલે સેકટર 7 પોલીસે સાઈબર ક્રાઈમ હેઠળ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
