લદ્દાખમાં આજે મનાવાઈ ઈદ, જાણો બાકીના દેશમાં ક્યારે મનાવાશે ઈદ
જો આજે ચાંદ દેખાય તો રવિવારે દેશભરમાં ઈદ થશે અને જો ચાંદ ન દેખાય તો સોમવાર, 25 મેના રોજ ઈદનો તહેવાર મનાવવામાં આવશે.
ઈસ્લામિક કેલેન્ડરમાં ખૂબ જ ખાસ મનાતો રમઝાન મહિનો હવે ખતમ થવા જઈ રહયો છે. ચાંદ દેખાવા સાથે જ આ મહિનો ખતમ થઈ જશે અને આગલા મહિને શવ્વાલા પહેલા દિવસે ઈદ મનાવવામાં આવશે. ચાંદ મહિનાના 29માં કે 30માં દિવસ બાદ દેખાય છે. શનિવારે રમજાનનો 29મો દિવસ થઈ ગયો છે. એવામાં જો આજે ચાંદ દેખાય તો રવિવારે દેશભરમાં ઈદ થશે અને જો ચાંદ ન દેખાય તો સોમવાર, 25 મેના રોજ ઈદનો તહેવાર મનાવવામાં આવશે.

સઉદી અરબ અને બીજા ખાડી દેશોમાં સામાન્ય રીતે ચાંદ એક દિવસ પહેલા દેખાય છે. ખાડી દેશોમાં શુક્રવારે 29 રમઝાન થઈ ચૂક્યા છે પરંતુ ત્યાં ચાંદ દેખાયો નથી. માટે અરબ દેશોમાં રવિવારે ઈદ થશે. વળી, ભારતમાં ઈદ થવાની આશા સોમવારે છે. વળી, આજે ભારતના લદ્દાખમાં ઈદ મનાવવામાં આવી રહી છે. આજે લોકોએ પોતાના ઘરોમાં નમાઝ પઢી અને ઈદ મનાવી. લદ્દાખમાં ઈદ-ઉલ-ફિતરને દુનિયાભમાં ખૂબ જોશ સાથે મનાવવામાં આવે છે.
ઈદ પર ઘરોમાં ઘણા પ્રકારના પકવાન બને છે, લોકો પરસ્પર ગળે મળે છે અને મનદુઃખ દૂર કરે છે. બધા લોકો ઈદગાહમાં ભેગા થઈને નમાઝ પણ પઢે છે. આ વર્ષે ઈદનો તહેવાર એકદમ અલગ છે. કોરોના મહામારીના કારણે ભારત સહિત દુનિયામાં ઘણા બધા દેશોમાં લૉકડાઉન છે. મેડિકલ ક્ષેત્રના માહિર લોકોનુ કહેવુ છે કે કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટંસીંગનુ ધ્યાન રાખવુ જરૂરી છે. એવામાં લોકોને નમાઝ માટે ભેગા ન થવાની, ગળે ન મળવાની અને પોતપોતાના ઘરોમાં ઈદ મનાવવાની સલાહ આપવામાં આવી રહી છે. એવામાં સ્પષ્ટ છે કે આ વખતે આ તહેવર એકદમ અલગ રીતે મનાવવામાં આવશે.












Click it and Unblock the Notifications
