લદ્દાખમાં આજે મનાવાઈ ઈદ, જાણો બાકીના દેશમાં ક્યારે મનાવાશે ઈદ
જો આજે ચાંદ દેખાય તો રવિવારે દેશભરમાં ઈદ થશે અને જો ચાંદ ન દેખાય તો સોમવાર, 25 મેના રોજ ઈદનો તહેવાર મનાવવામાં આવશે.
ઈસ્લામિક કેલેન્ડરમાં ખૂબ જ ખાસ મનાતો રમઝાન મહિનો હવે ખતમ થવા જઈ રહયો છે. ચાંદ દેખાવા સાથે જ આ મહિનો ખતમ થઈ જશે અને આગલા મહિને શવ્વાલા પહેલા દિવસે ઈદ મનાવવામાં આવશે. ચાંદ મહિનાના 29માં કે 30માં દિવસ બાદ દેખાય છે. શનિવારે રમજાનનો 29મો દિવસ થઈ ગયો છે. એવામાં જો આજે ચાંદ દેખાય તો રવિવારે દેશભરમાં ઈદ થશે અને જો ચાંદ ન દેખાય તો સોમવાર, 25 મેના રોજ ઈદનો તહેવાર મનાવવામાં આવશે.

સઉદી અરબ અને બીજા ખાડી દેશોમાં સામાન્ય રીતે ચાંદ એક દિવસ પહેલા દેખાય છે. ખાડી દેશોમાં શુક્રવારે 29 રમઝાન થઈ ચૂક્યા છે પરંતુ ત્યાં ચાંદ દેખાયો નથી. માટે અરબ દેશોમાં રવિવારે ઈદ થશે. વળી, ભારતમાં ઈદ થવાની આશા સોમવારે છે. વળી, આજે ભારતના લદ્દાખમાં ઈદ મનાવવામાં આવી રહી છે. આજે લોકોએ પોતાના ઘરોમાં નમાઝ પઢી અને ઈદ મનાવી. લદ્દાખમાં ઈદ-ઉલ-ફિતરને દુનિયાભમાં ખૂબ જોશ સાથે મનાવવામાં આવે છે.
ઈદ પર ઘરોમાં ઘણા પ્રકારના પકવાન બને છે, લોકો પરસ્પર ગળે મળે છે અને મનદુઃખ દૂર કરે છે. બધા લોકો ઈદગાહમાં ભેગા થઈને નમાઝ પણ પઢે છે. આ વર્ષે ઈદનો તહેવાર એકદમ અલગ છે. કોરોના મહામારીના કારણે ભારત સહિત દુનિયામાં ઘણા બધા દેશોમાં લૉકડાઉન છે. મેડિકલ ક્ષેત્રના માહિર લોકોનુ કહેવુ છે કે કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટંસીંગનુ ધ્યાન રાખવુ જરૂરી છે. એવામાં લોકોને નમાઝ માટે ભેગા ન થવાની, ગળે ન મળવાની અને પોતપોતાના ઘરોમાં ઈદ મનાવવાની સલાહ આપવામાં આવી રહી છે. એવામાં સ્પષ્ટ છે કે આ વખતે આ તહેવર એકદમ અલગ રીતે મનાવવામાં આવશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
