For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લદ્દાખમાં આજે મનાવાઈ ઈદ, જાણો બાકીના દેશમાં ક્યારે મનાવાશે ઈદ

જો આજે ચાંદ દેખાય તો રવિવારે દેશભરમાં ઈદ થશે અને જો ચાંદ ન દેખાય તો સોમવાર, 25 મેના રોજ ઈદનો તહેવાર મનાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ઈસ્લામિક કેલેન્ડરમાં ખૂબ જ ખાસ મનાતો રમઝાન મહિનો હવે ખતમ થવા જઈ રહયો છે. ચાંદ દેખાવા સાથે જ આ મહિનો ખતમ થઈ જશે અને આગલા મહિને શવ્વાલા પહેલા દિવસે ઈદ મનાવવામાં આવશે. ચાંદ મહિનાના 29માં કે 30માં દિવસ બાદ દેખાય છે. શનિવારે રમજાનનો 29મો દિવસ થઈ ગયો છે. એવામાં જો આજે ચાંદ દેખાય તો રવિવારે દેશભરમાં ઈદ થશે અને જો ચાંદ ન દેખાય તો સોમવાર, 25 મેના રોજ ઈદનો તહેવાર મનાવવામાં આવશે.

eid

સઉદી અરબ અને બીજા ખાડી દેશોમાં સામાન્ય રીતે ચાંદ એક દિવસ પહેલા દેખાય છે. ખાડી દેશોમાં શુક્રવારે 29 રમઝાન થઈ ચૂક્યા છે પરંતુ ત્યાં ચાંદ દેખાયો નથી. માટે અરબ દેશોમાં રવિવારે ઈદ થશે. વળી, ભારતમાં ઈદ થવાની આશા સોમવારે છે. વળી, આજે ભારતના લદ્દાખમાં ઈદ મનાવવામાં આવી રહી છે. આજે લોકોએ પોતાના ઘરોમાં નમાઝ પઢી અને ઈદ મનાવી. લદ્દાખમાં ઈદ-ઉલ-ફિતરને દુનિયાભમાં ખૂબ જોશ સાથે મનાવવામાં આવે છે.

ઈદ પર ઘરોમાં ઘણા પ્રકારના પકવાન બને છે, લોકો પરસ્પર ગળે મળે છે અને મનદુઃખ દૂર કરે છે. બધા લોકો ઈદગાહમાં ભેગા થઈને નમાઝ પણ પઢે છે. આ વર્ષે ઈદનો તહેવાર એકદમ અલગ છે. કોરોના મહામારીના કારણે ભારત સહિત દુનિયામાં ઘણા બધા દેશોમાં લૉકડાઉન છે. મેડિકલ ક્ષેત્રના માહિર લોકોનુ કહેવુ છે કે કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટંસીંગનુ ધ્યાન રાખવુ જરૂરી છે. એવામાં લોકોને નમાઝ માટે ભેગા ન થવાની, ગળે ન મળવાની અને પોતપોતાના ઘરોમાં ઈદ મનાવવાની સલાહ આપવામાં આવી રહી છે. એવામાં સ્પષ્ટ છે કે આ વખતે આ તહેવર એકદમ અલગ રીતે મનાવવામાં આવશે.

આરોગ્ય સેતુ પર ગ્રીન સ્ટેટસવાળાને ક્વૉરંટાઈન કરવાની જરૂર નથીઃ નાગરિક ઉડ્ડયન મંત્રીઆરોગ્ય સેતુ પર ગ્રીન સ્ટેટસવાળાને ક્વૉરંટાઈન કરવાની જરૂર નથીઃ નાગરિક ઉડ્ડયન મંત્રી

English summary
Eid ul Fitr 2020 date moon sighting time when india will celebrate Eid
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X