જ્યારે ગુરુદેવે કહ્યું - 'આઝાદીનો અર્થ માત્ર અંગ્રેજોથી મુક્ત થવાનો નથી પણ...'
દેશ અત્યારે 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવી રહ્યો છે, એવા ઘણા લોકો હતા જેમણે કલમ, વિચાર, સ્ટોરી દ્વારા સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો.
Best of Bharat People : દેશ અત્યારે 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવી રહ્યો છે, એવા ઘણા લોકો હતા જેમણે કલમ, વિચાર, સ્ટોરી દ્વારા સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો. આવી જ એક મહાન વ્યક્તિનું નામ છે, રવીન્દ્રનાથ ટાગોર, જેમણે પોતાના વિચારો, લેખન અને ગીતોથી અંગ્રેજોનો વિરોધ જ નહીં કર્યો, પરંતુ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમણે ભારતનું રાષ્ટ્રગીત 'જન ગન મન' લખ્યું હતું.

અસહકાર ચળવળ સાથે સંપૂર્ણ સમર્થન કે સંમત ન હતા
દેશથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે સાહિત્યને નવી ઓળખ આપનાર નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરે પોતાની કલમથી બેદેશના રાષ્ટ્રગીતને સુશોભિત કર્યા હતા. હા, ગુરુદેવે ભારતની સાથે સાથે બાંગ્લાદેશનું પણ રાષ્ટ્રગીત લખ્યું હતું.
તેમણે બ્રિટિશસામ્રાજ્યવાદની નિંદા કરી, પરંતુ મહાત્મા ગાંધી અને તેમના અસહકાર ચળવળ સાથે સંપૂર્ણ સમર્થન કે સંમત થયા ન હતા.

જ્યોર્જ પંચમ દ્વારા નાઈટહૂડનું બિરુદ આપવામાં આવ્યું
રવીન્દ્રનાથ ટાગોર નોબેલ પારિતોષિક મેળવનાર એશિયાના પ્રથમ વ્યક્તિ હતા. આ પુરસ્કાર રવીન્દ્રનાથ ટાગોરને તેમની રચના 'ગીતાંજલિ'માટે આપવામાં આવ્યો હતો.
તેમને જ્યોર્જ પંચમ દ્વારા નાઈટહૂડનું બિરુદ આપવામાં આવ્યું હતું, જે તે સમયે અંગ્રેજો દ્વારા ખૂબ જ પ્રતિષ્ઠિતમાનવામાં આવતું હતું, પરંતુ ટાગોરે આ સન્માન પરત કર્યું હતું, કારણ કે તેઓ વર્ષ 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડથી ખૂબ જ વ્યથિતથયા હતા, જેના કારણે તેમણે આ સન્માન પરત કર્યું હતું.
તેમનું કહેવું હતું કે, આઝાદીનો અર્થ માત્ર અંગ્રેજોથી આઝાદી નથી, પરંતુ સાચીસ્વતંત્રતાનો અર્થ છે, પોતાની જાત પ્રત્યે સાચી અને પ્રમાણિક રહેવાની ક્ષમતા. તેમના વિચારો ખૂબ જ સુંદર હતા, જેને જો વ્યક્તિ સ્વીકારેતો તેનું જીવન ક્ષણભરમાં બદલાઈ શકે છે.

રવીન્દ્રનાથ ટાગોરના કેટલાક અમૂલ્ય વિચારો
- ખુશ રહેવું બહુ સહેલું છે, પણ સરળ બની રહેવું બહું અઘરું છે - રવીન્દ્રનાથ ટાગોર
- કેવળ તર્કબદ્ધ મન એ એવી છરી જેવું છે, જેમાં ફક્ત બ્લેડ હોય છે, તેનો ઉપયોગ કરનારને તે ઈજા પહોંચાડે છે - રવીન્દ્રનાથ ટાગોર
- તમે ફૂલની પાંખડીઓ તોડીને તેની સુંદરતા એકઠી કરી શકતા નથી - રવીન્દ્રનાથ ટાગોર
- મિત્રતાની ઊંડાઈ પરિચયની લંબાઈ પર નિર્ભર નથી હોતી - રવીન્દ્રનાથ ટાગોર
- દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે, ભગવાન હજૂ મનુષ્યોથી નિરાશ થયા નથી - રવીન્દ્રનાથ ટાગોર
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત




Click it and Unblock the Notifications
