શું નરેન્દ્ર મોદી ફરીથી બનશે દેશના પ્રધાનમંત્રી? ભાઈ પ્રહલાદ મોદીએ આપ્યુ નિવેદન
શું નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારનું કમબેક થશે કે દેશને કોઈ નવા પીએમ મળશે. જે અંગે પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીની પ્રતિક્રિયા આવી છે.
આગામી લોકસભા ચૂંટણી અંગે અટકળોનો સમય ચાલુ છે. દરેક પોતપોતાના હિસાબથી અંદાજ લગાવી રહ્યા છે કે શું નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારનું કમબેક થશે કે દેશને કોઈ નવા પીએમ મળશે. ચૂંટણી વિશે આ જ અટકળો પર હવે પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યુ કે એક વાર ફરીથી ભાજપની સરકાર દેશમાં બનશે.

ભાજપ 300થી વધુ સીટો જીતશે'
પ્રહલાદ મોદીએ કહ્યુ કે ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં 300થી વધુ સીટો જીતશે અને નરેન્દ્ર મોદી એક વાર ફરીથી પ્રધાનમંત્રી બનશે. તેમણે આશા વ્યક્ત કરી કે 2019ના પરિણામ વર્ષ 2014ના પરિણામોની જેમ હશે અને નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકે વધુ એક કાર્યકાળ મળશે. પ્રહલાદ મોદી મેંગલુરુમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા.

‘નરેન્દ્ર મોદી ફરીથી બનશે પીએમ'
તેમણે કહ્યુ કે કેન્દ્રમાં એનડીએના નેતૃત્વવાળી મોદી સરકાર છેલ્લા સાડા ચાર વર્ષોમાં સમગ્ર દેશમાં વિવિધ વિકાસ કાર્યોને લાગુ કરવામાં સફળ રહી છે. એક સવાલના જવાબમાં પ્રહલાદ મોદીએ કહ્યુ કે પ્રિયંકા ગાંધીનો રાજકારણમાં પ્રવેશ ચૂંટણીમાં કોંગ્રેસની મદદ નહિ કરી શકે. મોદી મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોની યાત્રા પર મેંગલુરુ આવ્યા છે.

સંભવિત ગઠબંધન અંગે પણ આપ્યુ નિવેદન
એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા પ્રહલાદ મોદીએ ગઠબંધનના ભવિષ્ય પર કહ્યુ કે આવા ગઠબંધન ભૂતકાળમાં પણ નિષ્ફળ થયા હતા.
-
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા





Click it and Unblock the Notifications
