BJP મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય બોલ્યા, રાજ્યો સાથ આપે કે ના આપે, કેન્દ્ર CAA એક્ટ લાગૂ કરશે
BJP મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય બોલ્યા, રાજ્યો સાથ આપે કે ના આપે, કેન્દ્ર CAA એક્ટ લાગૂ કરશે
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભારી અને મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ સીએએ કાનૂનને લઈને કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યોની મદદ વિના પણ આ કાનૂન લાગી કરશે. તેમણે કહ્યું કે સીએએ લાગૂ કરવા માટે અમારે રાજ્યોની મદદની જરૂરત નથી. મીડિયા સાથે વાત કરતા પશ્ચિમ બંગાળમાં સીએએ લાગૂ કરતા પહેલા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, સીએએ લાગૂ કરવા માટે સ્ટેટની કોઈ જરૂરત નથી, કેન્દ્ર સરકાર આના માટે સક્ષમ છે. જો સ્ટેટ સહયોગ આપે તો પણ લાગૂ કરશે અને નહિ આપે તો પણ લાગૂ કરશે.

અગાઉ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પણ કૈલાશ વિજયવર્ગીયએ નાગરિકતા સંશોધન કાનૂનને લઈ મોટું નિવેદન આપ્યું હતું. કૈલાશ વિજયવર્ગીયએ શનિવારે કહ્યું હતું કે સીએએ આગલા વર્ષના પહેલા મહિના જાન્યુઆરીમાં લાગૂ થઈ શકે છે.
કૈલાશ વિજયવર્ગીયએ એમ પણ કહ્યું હતું કે CAAને કેન્દ્ર સરકારે ઈમાનદારીથી પાડોસી દેશોથી આપણે ત્યાં ઉત્પીડિત શરણાર્થિઓને નાગરિકતા આપવા માટે પાસ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સીએએ એક્ટ સંસદના બંને ગૃહમાં પાસ થતાની સાથે જ દેશભરમાં હોબાળો મચી ગયો હતો, ઠેર ઠેર આંદોલનો થવા લાગ્યાં હતાં, ખાસ કરીને દિલ્હીમાં ઉગ્ર આંદોલન છેડાયું હતું જેની દુનિયા આખી સાક્ષી રહી.












Click it and Unblock the Notifications
